તેરાપંથ યુવક પરિષદ સુરતની રક્તદાન શિબિર

PC: Khabarchhe.com

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજન ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આયુષ્માન સેવા પખવાડિયા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તેરાપંથ યુવક પરિષદ સુરતના અધ્યક્ષ સચિન જૈન, મંત્રી શ્રીયાસ સિરોહિયાએ જણાવ્યું હતું કે સુરત દ્વારા 7 દિવસમાં 35થી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, હોસ્પીટલ, બેંક, ગ્રોસરી મોલ, ફોસ્ટા, ચેમ્બર ઓફ કોમર્સ, એનજીઓ, નાના મોટા ઔધોગિક એકમો, બિલ્ડર, શેયર બ્રોકિંગ, વ્યાપારિક સંગઠનો અને શૈક્ષિણક સંસ્થાઓ જેવી જગ્યા પર રક્તદાન શિબિરનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું.

ABTYP રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ ડાગાના નેતૃત્વમાં દેશભરમાં અને નેપાળ ખાતે 358 શાખાઓના માધ્યમથી ગત વર્ષે 17 સપ્ટેમ્બરથી 2022ના રોજ એક દિવસમાં 6000 સે અધિક રક્તદાન શિબિરોનું આયોજન કરીને 2.50 લાખ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.

કાર્યક્રમના સંયોજક એ કહ્યું કે અમે આગળ પણ માનવ સેવા માટે તત્પર છીએ અને રક્તદાન શિબિરનું આયોજન કરતા રહીશું. રકતદાન શિબિરના આયોજનમાં તેયુપ સુરત MBDD ટીમ અને કાર્યકર્તાઓ ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp