અમદાવાદમાં કાર પલટી ખાઈ જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત

PC: drraymondasemente.com

વાહન ચલાવતી વખતે કરવામાં આવેલી નાનકડી ભૂલનુ ક્યારેક મોટુ પરિણામ ભોગવવુ પડતુ હોય છે. આવી જ રીતે મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે. અમદાવાદના ઉમેદપુરા પાટિયા પાસે કારચાલક બાઈકચાલકને બચાવવા જતાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. જેમાં 2 લોકોના મોત થયા હતા.

ઉમેદપુરા પાટિયા પાસે બાઈકચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઇ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત થયા હતા જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp