ગુજરાતમાં બનેલી ઘટનાઓ બાદ કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા, આ શહેરથી શરૂ થશે
સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાત જીતવાના પડકાર આપ્યો છે, ત્યારબાદ કોંગ્રેસનું ફોકસ હવે ગુજરાત પર છે. 2027માં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં સંસદ સત્ર બાદ તુરંત જ રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેઓ છેલ્લા 5 વર્ષોમાં ગુજરાતમાં થયેલા અકસ્માતોના પીડિતોને મળ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસે હવે એ કવાયદને આગળ ચરણમાં લઈ જવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ તે પીડિતોને ન્યાય અપાવવા માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ન્યાય યાત્રા કાઢવા જઇ રહી છે જે મૂળ રૂપે પદ યાત્રા હશે.
જાણકારો મુજબ, આ યાત્રા રાજકોટથી શરૂ થશે, જ્યાં હાલમાં જ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના થઈ હતી. એ ખૂબ હાઇપ્રોફાઇલ કેસ માનવામાં આવે છે. કોંગ્રેસનું માનવું છે કે રાજ્યમાં 4 મોટા અકસ્માત થયા, જેમાં ન માત્ર ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ તેમના તાર ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા છે. તેમાં 5 વર્ષ અગાઉ સુરતમાં થયેલો તક્ષશિલા અગ્નિકાંડ, જેમાં 22 વિદ્યાર્થી માર્યા ગયા હતા અને 19 ઇજાગ્રસ્ત થયા હતા. મોરબી પુલ અકસ્માત, જેમાં 141 લોકોના મોત થયા, વડોદરા હરણી તળાવમાં નાવ અકસ્માત જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા, તો થોડા મહિના અગાઉ રાજકોટમાં ગેમ ઝોનમાં અકસ્માત સામેલ છે.
કોંગ્રેસની દલીલ છે કે આ બધી ઘટનાઓના થોડા મહિનાથી લઈને 5 વર્ષ થઈ ગયા, પરંતુ અત્યારે પણ પીડિતો અને તેમના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. કોંગ્રેસે હવે આ મુદ્દાને લઈને ભાજપ સરકારને ઘેરવાની યોજના બનાવી છે. એ હેઠળ રાહુલ ગાંધી પીડિતોના પરિવારજનોને મળ્યા બાદ કોંગ્રેસ હવે એ તમામ જિલ્લામાં ન્યાય યાત્રા કાઢશે, જ્યાં જ્યાં આ ઘટનાઓ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ યાત્રાનું ઉદ્દેશ્ય સિસ્ટમ પર દબાવ બનાવવાનો છે. ઉલ્લેખનીય છે પોતાની પાછલી યાત્રામાં રાહુલ ગાંધીએ એ તમામ પીડિતો અને તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે કોંગ્રેસ તમારા માટે ન માત્ર ન્યાય માગશે, પરંતુ ન્યાયની આ લડાઈ તેમની સાથે મળીને લડશે.
કોંગ્રેસના એક રણનીતિકારનું કહેવું હતું કે, મોરબી અને તક્ષશિલા જેવા અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોના પરિવાર ન્યાય માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ અકસ્માતો માટે જવાબદાર લોકો જામીન પર આરામથી જેલ બહાર જીવન જીવી રહ્યા છે. ઉપરોક્ત નેતાનું કહેવું હતું કે, રાજ્યની ભાજપ સરકારનું વલણ પૂરી રીતે જનતા વિરોધી છે એટલે કોંગ્રેસે હવે આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવાની યોજના બનાવી છે. જાણકારોનું કહેવું છે કે આ યાત્રા આગામી 1 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે જે લગભગ 2 અઠવાડિયા ચાલશે.
આ દરમિયાન ક્યાંક રાહુલ ગાંધી પણ સામેલ થશે. તેને ધ્યાનમાં લઈને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીને સામેલ થવા માટે અપીલ કરવામાં આવી છે. જો કે, અત્યાર સુધી તારીખ અને દિવસ નક્કી નથી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સંસદનું બજેટ સત્ર ચાલશે એટલે રાહુલ ગાંધી પ્રતિકાત્મક રૂપે સામેલ થશે. તેમાં સૌરાષ્ટ્રના 2 કેન્દ્ર, દક્ષિણ ગુજરાતનો સુરત જિલ્લો અને વડોદરા સાથે જોડાયેલી હશે. યાત્રા એ જ વિસ્તારોને ટચ કરશે, જ્યાં આ અકસ્માત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp