સી.આર.પાટીલ જતા-જતા ચાબખા મારીને ગયા, ભાજપમાં હજુ અસંતોષ

PC: facebook.com/CRPaatil

ગુજરાતના સાળંગપુરમાં ભાજપની પ્રદેશ કારોબારીની 2 દિવસની બેઠક મળી હતી. 4 અને 5 જુલાઇએ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જુલાઇએ સી આર પાટીલે આ બેઠકમાં જતા જતા ચાબખા મારી દીધા હતા.ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે એટલે હવે પ્રદેશ પ્રમુખ તરીકેનું તેમનું પદ ખાલી થશે.

પાટીલે આ બેઠકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે સહકારી સંસ્થામાં પાર્ટીના મેન્ડેટનો અનાદર થયો એ વાતનું તમને બધાને દુખ છે અને મને પણ છે. પાટીલના આ નિવેદનનો મતલબ એ થાય કે ગુજરાત ભાજપમાં બધું બરાબર ચાલી નથી રહ્યું. ઇફકોની ચૂંટણીમાં ભાજપે અન્ય ઉમેદવારને મેન્ડેટ આપેલો છતા ભાજપ નેતા જયેશ રાદડીયા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારે ભાજપમાં ભડકો થયો હતો. સી આર પાટીલ હવે મંત્રી બની ગયા છે ત્યારે કદાચ આ વાત ભુલી ગયા હશે એવું બધા માનતા હતા, પરંતુ તેમણે આ વાત છેડીને ફરી મધપુડો છંછેડી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp