ગુજરાતમાં કોરોના વાયરસના 9 શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટ જાણો શું આવ્યા

PC: tosshub.com

ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના 9 સેમ્પલના રિપોર્ટ આવી ગયા છે. ગુજરાત સરકાર આપેલા રિપોર્ટ મુજબ 8 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 1044 મુસાફરો ચીનથી ગુજરાતમાં આવ્યા હતા, જે પૈકી 411 લોકોને 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન પિરિયડમાં રાખવામાં આવ્યા હતા. આ ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થઇ ગયેલો છે અને તમામ 411 મુસાફરોની તબિયત સારી છે. આ મુસાફરોનું જિલ્લાના અને કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારીઓ દ્વારા દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 8 ફેબ્રુઆરી સુધી કુલ 16 દર્દીઓના સેમ્પલ લેબ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.

એટલે કે રાજ્યના વિવિધ જિલ્લામાંથી 16 શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓના રિપોર્ટને પરિક્ષણ માટે મોકલાયા હતા, જેમાંથી 9 રિપોર્ટ આવી ગયા છે અને તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એટલે સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. હજુ 7 રિપોર્ટ આવવાના બાકી છે.

કોરોના વાયરસને કારણે કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતની મુલાકાતે, જાણો શું કહ્યું

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’ જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. કોઇએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, માત્ર તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો સામે પૂરતી કાળજી રાખવાની આવશ્યકતા છે.

ડૉ. રવિએ ઉમેર્યું હતું કે, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ત્રણ સભ્યોની તબિબિ ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી હતી. આ ટીમમાં સફદરગંજ હોસ્પિટલ, નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રોફેસર નવંગ, એન.સી.ડી.સી., નવી દિલ્હીના એપિડોલોજીસ્ટ ડૉ. વિનય ગર્ગ તેમજ સફદરગંજ હોસ્પિટલના માઇક્રો બાયોલોજીસ્ટ ડૉ. મનીષા જૈને અમદાવાદ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે તેમજ તેની સારવાર માટે લીધેલા પગલાઓથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ડૉ. રવિએ ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં આજે 3241 કેસો કોરોના વાયરસના નોંધાયા છે જે સાથે કુલ 20,630 કેસો છે અને આજે 64 મૃત્યુ મળી અત્યાર સુધી વિશ્વમાં કુલ 426 મૃત્યુ નોધાયા છે. માત્ર ચીનમાં જ કુલ 20,471 કેસો નોંધાયા છે અને 425 મોત થયા છે. ભારતમાં કુલ ત્રણ કેસો પોઝીટીવ નોંધાયા છે જે કેરળમાં છે. રાજ્યમાં 8 શંકાસ્પદ કેસો જણાતા તેમના સેમ્પલ એન.આઇ.વી. પૂના ખાતે મોકલવામાં આવ્યા છે તે પૈકી પાંચ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જે ત્રણ સેમ્પલ પેન્ડીંગમાં છે જેનો રીપોર્ટ મોડી રાત સુધીમાં આવી જશે.

ડૉ. રવિએ ઉમેર્યું કે, કોરોના વાયરસની તકેદારી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. એરપોર્ટ ખાતે સ્ક્રીનીગ તથા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં આજે નવા 161 મુસાફરો મળી કુલ 930 મસાફરો ચીનથી પરત ફર્યા છે. જે પૈકી 246 મુસાફરોએ 14 દિવસનો ઓબ્ઝર્વેશન પરીયડ પૂર્ણ કર્યો છે. આ તમામની તબિયત સારી છે અને તમામનું જિલ્લા સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સેટકોમના માધ્યમ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓને આ સંદર્ભે રોજબરોજ માર્ગદર્શન-તાલીમ પણ આપવામાં આવી રહી છે.

સફદરગંજ હોસ્પિટલના નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રો. નવંગે કહ્યું હતું કે, ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં આ વાયરસ સામે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં 30 બેડની વ્યવસ્થા, આઇ.સી.યુ., વેન્ટીલેટર, જરૂરી માસ્કની સુવિધાની સાથે 24 કલાક તાલિમી તબીબી સ્ટાફ કાર્યરત છે.

વિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ 99 ટકા કેસ માત્ર ચાઇનામાં છે તેમાં પણ સૌથી વધુ 91 ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર 2 ટકા નોંધાયો છે એટલે કે દર 100 દર્દીઓએ માત્ર બે દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં માત્ર 3 દર્દી હાલ કેરળમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ભારતમાં ખાસ કરીને ચાઇના, સિંગાપોર અને હોંગકોંગમાંથી આવતા નાગરિકોનું એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ દરમિયાન શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે તો તેને 14 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. ભારતમાં આ રોગ સામે કાળજી લેવાની જરૂર છે પણ ગભરાવવાની જરૂર નથી. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતાં લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ તેમ, નવંગે ઉમેર્યું હતું.

ડૉ. મનિષા જૈને કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં તેનો ટેસ્ટ કરી શકે તેવી વ્યવસ્થા બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી આ વાયરસના સેમ્પલ ભવિષ્યમાં તપાસ માટે એન.આઇ.વી. પૂના ખાતે મોકલવાની આવશ્યકતા રહેશે નહીં. એન.આઇ.વી. પૂના દ્વારા આ પ્રકારના વાઇરસની તપાસ થઇ શકે તે માટેની જરૂરી કીટ પણ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ડૉ.વિનય ગર્ગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત 14 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનીંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp