જો તમને પોલીસ હેરાન કરે તો આ નંબર પર કરો ફરિયાદ, ગુજરાત સરકારે જાહેર કર્યો

PC: aajtak.in

પોલીસ અત્યાચાર અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટને આ માહિતી આપી છે. તમામ ઇમર્જન્સી નંબર www.indianhelpline.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે. સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 14449 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને ખાતરી આપી છે.

નંબર ચાલૂ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24x7 કાર્યરત રહેશે. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે. તેમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત દેશ સ્તરની વિભિન્ન હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

થોડા સમય અગાઉ અમદાવાદ પોલીસે તોડ પાડ્યો હતો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલિટી ચેંકિગ કરશે. DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે.  સોલામાં પોલીસ તોડકાંડ કેસમાં કોર્ટેમાં પોતે સંજ્ઞાન લેતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હવે પોલીસની રિયાલિટી ચેક કરવામા આવશે.

જેમા એરપોર્ટથી SP રિંગ રોડ પર મુસાફરોને અટકાવીને પોલીસ દ્વારા પૈસાની ઉઘરાણીની ફરિયાદને લઈને હવે પોલીસ અધિકારી ખાનગી માણસોને સાથે રાખીને ટ્રેપ ગોઠવશે. ઉલ્લેખનીય છે કે સોલા પોલીસ તોડકાંડને લઈને પોલીસ કમિશનર દ્વારા શહેરમા રાતના સમયે ફરજ બજાવતા પોલીસ જવાનોનુ ચેંકિગ કરવાનો આદેશ અપાયો છે. જેને લઈને હવે પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે. જેથી પોલીસમાં વધી રહેલા તોડકાંડ પર નિયતંત્રણ લાવીને પોલીસની છબી સુધારવાનો પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.

સોલામાં તોડકાંડના કારણે પોલીસની છબી ખરાબ થઈ છે. હાઈકોર્ટની નારાજગી અને પોલીસને લઈને ઊભા થયેલા સવાલોને લઈને હવે અધિકારીઓની ખાનગી વોચ શરૂ થઈ છે. આ સાથે તોડકાંડમા પકડાયેલા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને TRB જવાન વિશાલ સોંલકીના ફરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. આ પોલીસ જવાનોએ 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેમા પોલીસ કર્મચારી મુકેશ ચૌધરી વિરુદ્ધ લાંચને લઈને અગાઉ અનેક આક્ષેપો થયા હતા જેથી તેને 5 હજાર રૂપિયોનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. જયારે આ કેસમા પોલીસે તોડની રોકડ કબજે લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp