નીતિન પટેલ કહે- કડી ભાજપને કોઈની નજર લાગી છે, તો ધારાસભ્ય બોલ્યા- એ તો સાહેબ જ..

PC: timesofindia.indiatimes.com

કડી APMCમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મંગળવારે થયેલી ચૂંટણીમાં 782માંથી 728 મતદારોએ મતદાન કર્યું હતું. દરમિયાન ચૂંટણી અગાઉ નીતિનભાઇ પટેલ APMCના ચેરમેન બનશે તેવી વાતો વચ્ચે આજે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું 39 વર્ષથી APMCમાં સભ્ય હતો, કોઈ દિવસ ચેરમેન બન્યો નથી. આજે પણ બિનહરીફ સભ્ય થયો છું, પરંતુ હું ચેરમેન પદનો દાવેદાર નથી. મેં અગાઉ પણ સાથી મિત્રોને કહ્યું હતું અને આજે મિત્રો, આગેવાનો, ખેડૂતો, સહકારી આગેવાનોની હાજરીમાં જાહેર કરું છું કે હું ચેરમેન પદનો દાવેદાર અગાઉ પણ નહોતો અને અત્યારે પણ નથી.

ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. ભાજપે મેન્ડેટ ન આપતા અન્ય 13 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એસ.એન. ઝાલાની દેખરેખ હેઠળ APMCમાં બે મતદાન બૂથો પર ચૂંટણી પ્રક્રિયા સવારે 08:00 થી સાંજે 05:00 સુધી ચાલી હતી. સવારે મતદારોની લાઇન લાગી હતી. બપોરે 02:00 વાગ્યા સુધીમાં 80 ટકા ઉપર મતદાન થઈ ગયું હતું. સાંજે 05:00 વાગ્યે 93 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી બુધવારે હાથ ધરાશે.

તેના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 39 વર્ષથી કડી માર્કેટયાર્ડમાં ભાજપનું શાસન રહ્યું છે. ખેડૂતો, સહકારી આગેવાનો અને વેપારીઓએ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે. કોંગ્રેસના વખતમાં પણ અમે લડત લડીને માર્કેટયાર્ડને ભાજપનું બનાવતા હતા. તે આજે ફરી બનશે અને મને આનંદ છે કે વધુ 5 વર્ષ મળી સતત 44 વર્ષથી માર્કેટયાર્ડમાં ભાજપનું એકહથ્થું શાસન સમગ્ર ગુજરાતમાં અનોખી સિદ્ધિ હશે.

નીતિન પટેલે એમ પણ કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું.  તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે, હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે. કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત છે કે કોઈ ફાવી ન શકે.

તો હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા પર ધારાસભ્ય કરશન સોલંકીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કડી ભાજપને કોઈની નજર લાગી નથી. સાહેબ બોલ્યા છે તો સાહેબ જાણે કોની નજર લાગી છે. નીતિનભાઈ સાહેબે નિયમ બદલ્યા એટલે કાર્યકરો નારાજ થયા છે. અગાઉ ચૂંટણી બિનહરીફ થઇ છે, આ વખતે આટલા ફોર્મ ભરાયા. ચૂંટણીના પરિણામ પછી ખબર પડશે નજર લાગી છે કે નથી લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp