નિવૃત્તિના એક દિવસ પહેલા DGP શિવાનંદ ઝાએ 27 PIની તાત્કાલિક બદલી કરી, જૂઓ યાદી

PC: indiatimes.com

રાજ્યમાં નવા DGP તરીકે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ 31 જૂલાઈએ નિવૃત્ત થયા પહેલા DGP શિવાનંદ ઝા દ્વારા 30 જૂલાઈના રોજ 27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો ઓર્ડર કર્યો હતો. જેથી પોલીસ બેડામાં પણ આશ્ચર્ય સર્જાયુ છે. નિવૃત્તિના એક દિવસ પહેલા જ 30 જૂલાઈના રોજ જે 27 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી હતી, તે તમામ પોલીસ ઇન્સ્પેક્ટર બિનહથિયારી શ્રેણીના છે. DGP શિવાનંદ ઝા દ્વારા નિવૃત્તિ પહેલા તમામ પોલીસ ઇન્સ્પેકટરની તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યા પર હાજર થવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો.

બદલી કરવામાં આવી છે તે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરમાં PI જે.કે. પટેલને વડોદરામાંથી છોટાઉદયપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PI કે.એન.લાઠીયાને ઇન્ટેલીજન્સમાંથી વડોદરા શહેરમાં બદલી કરવામાં આવ્યા છે.

PI કે.એમ. પ્રિયદર્શીને પાટણથી અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ આપવામાં આવ્યો છે.

PI આર.આર. રાઠવાને અમદાવાદ ગ્રામ્યમાંથી વડોદરામાં બદલી કરવામાં આવ્યા છે.

PI એમ.એ. વાઘેલાને ACBમાંથી અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવ્યા છે.

PI બી.કે. ચૌધરીને ACBમાંથી બનાસકાંઠામાં ટ્રાન્સફર કર્યા છે.

PI એ.પી સોમૈયાને સુરત શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

PI કે.ડી. ડીંડોરને ઇન્ટેલિજન્સમાંથી દાહોદમાં બદલી કરવામાં આવ્યા છે.

PI કે.એન. રાઠવાને ગાંધીનગરથી મહીસાગરમાં બદલી કરવામાં આવ્યા છે.

PI જે.એન. પરમારને CID ક્રાઇમમાંથી પંચમહાલ પોલીસ વિભાગમાં ટ્રાન્સફર કર્યા છે.

PI એસ.પી. કહારને પાટણથી ઈન્ટેલિજન્સમાં બદલી કરવામાં આવ્યા છે.

PI એલ.ડી. ગમારાને ભાવનગરથી આણંદમાં બદલી કરવામાં આવ્યા છે.

PI સી.બી. ચૌધરીને ACBમાંથી આણંદમાં બદલી કરાયા છે.

PI કે.એચ. સાંઘને GEBમાંથી જૂનાગઢમાં બદલી કરાયા છે.

PI બી.એમ. રાણાને વડોદરા શહેરથી સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી છે.

PI એન.એલ. પાંડોરની પોરબંદરથી વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે.

PI આર.બી. દેસાઈનું રાજકોટ ગ્રામ્યમાંથી CID ક્રાઈમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

PI વી.કે. પટેલનું રાજકોટ ગ્રામ્યમાંથી સુરત ગ્રામ્યમાં ટ્રાન્સફર કરાયું છે.

PI એસ.આર. ગામીતની અમદાવાદથી વલસાડમાં બદલી કરવામાં આવી છે.

PI એમ.એમ. લાલીવાલાની સ્ટેટ કંટ્રોલથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે.

PI જે.કે. ભરવાડનું ગીર સોમનાથથી અમદાવાદ શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

PI વી.ડી. મોરીનું પોલીસ એકેડમીમાંથી અમદાવાદ શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

PI વી.ડી. ઝાલાની પોલીસ એકેડમીમાંથી ભાવનગરમાં બદલી કરાઇ છે.

PI વી.એમ. દેસાઈની PTC જૂનાગઢમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે.

PI કે.ડી. જાડેજાનું અમરેલીથી અમદાવાદ શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

PI ડી.વી. તળવીનું અમદાવાદ શહેરમાંથી વલસાડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યુ છે.

PI આર.એસ. ઠાકરની રાજકોટ શહેરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp