મારા નામે કોઈ ઘર નથી, પણ મારી સરકારે લાખો દીકરીઓને મકાન માલકિન બનાવી છેઃ PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમના નામ પર કોઈ મકાન નથી, પરંતુ તેમની સરકારે દેશની લાખો દીકરીઓને મકાનની માલિક બનાવી દીધી છે. બે દિવસના પ્રવાસે આવેલા PM મોદીએ છોટા ઉદેપુરમાં કહ્યું હતું કે, નિર્ધન લોકો કંઇ રીતે મુશ્કેલીઓ સામે ઝઝૂમે છે, મને ખબર છે. હું તેમની મુશ્કેલીઓને સોલ્વ કરવાની કોશિશ કરું છું. મને એ વાતની સંતુષ્ઠી છે કે મારી સરકારે દેશભરના લોકો માટે ચાર કરોડ ઘર બનાવ્યા છે. પાછલી સરકારોની જેમ ગરીબ માટે ઘર બનાવવું અમારા માટે ફક્ત આંકડા સુધી મર્યાદિત નથી, એના માટે અમે ગરીબને સન્માન આપીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર ગરીબની જરૂરિયાતના હિસાબે ઘરનું નિર્માણ કરે છે. સાથે જ આ કામમાં કોઈ વચેટિયા નથી હોતા. લાખો ઘર એવા છે, જેને મહિલાઓના નામ પર રજિસ્ટર કરવામાં આવ્યા છે, જો કે મારા નામ પર કોઈ ઘર નથી, પરંતુ મારી સરકારે લાખો દીકરીઓને મકાન માલકિન બનાવી છે.

ગુજરાતમાં PM મોદી બોલ્યા- તેમને મુસ્લિમ મહિલાઓની ચિંતા નથી અમે...

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અમદાવાદમાં આયોજિત ‘નારી વંદન અભિનંદન’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમમાં મહિલાઓને પાનો ચઢાવતા કહ્યુ હતું કે આવનારા દિવસોમાં જ્યારે મહિલાઓ આગળ વધશે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકશે. તેઓ તાજેતરના 33 ટકા મહિલા આરક્ષિત બિલના અનુસંધાનમાં બોલી રહ્યા હતા. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું હતું.

PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું- જ્યારે અમે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાકથી મુક્તિ અપાવવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષા દળોને પોતાના રાજકીય સમીકરણોની ચિંતા હતી. તેમને મુસ્લિમ મહિલાઓના અધિકારોની ચિંતા નહોતી. તેમને ફક્ત પોતાના વોટ બેંકની ચિંતા હતી, જ્યારે ટ્રીપલ તલાક સામે કાયદો લાવવામાં આવ્યો, ત્યારે તેઓ મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે કેમ ઉભા ન રહ્યા.

સંસદમાં નારી વંદન બિલ પસાર થયા પછી ગુજરાત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યુ કે, પહેલાં તેમણે દશકો સુધી મહિલા આરક્ષણ બિલ લટકાવી રાખ્યું. આ વખતે તેમને ખબર પડી ગઇ હતી કે સરકાર પાછળ હટવાની નથી એટલે સંસદમાં કિંતુ, પરંતુની સાથે બિલને સમર્થન આપ્યું.

અમદાવાદ એરપોર્ટ પાસે આયોજિત મહિલા અભિવાદન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે તમારી તાકાત છે કે તેમને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા. PM મોદીએ કોંગ્રેસનું નામ ન લીધું પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી આગામી ચૂંટણીમાં આ ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવશે. PMમોદી ને કહા બિલ કા સોમહાર્ત તો કિયા પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિનો ઉલ્લેખ કરીને કરી હતી. PM મોદીએ કહ્યું કે તેઓ બિલને સમર્થન આપે છે પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિને નમન કરીને કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી વંદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ મહિલાઓને કહ્યુ કે, તમે મને દિલ્હી મોકલ્યો, પરંતુ ગુજરાતના અનુભવોમાંથી જે શિખ્યો તે પ્રમાણે દેશ માટે નિર્ણયો લીધા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે એ તમારી તાકાત છે, તમારા આર્શીવાદ છે, જેણે મને નિર્ણયો લેવાની તાકાત આપી.

એ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહિલા આરક્ષણ બિલને ઐતિહાસિક બિલ તરીકે લેખાવ્યું હતું. દરેક સાંસદે બિલને સમર્થન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બિલને કારણે મહિલાઓને ફાયદો થશે.

નવા સાંસદ ભવનના કામકાજના શરૂઆતના પહેલાં જ દિવસે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું હતું, જો કે તેનો અમલ 2029 સુધીમાં થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp