રાજકોટ ગેમ ઝોન આગ: BJP મંત્રી ભાનુ બાબરિયાએ 8 દિવસ પછી મગરના આંસૂ સાર્યા

PC: divyabhaskar.co.in

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાન 8 દિવસ પછી હવે ભાજપના નેતાઓ પ્રગટ થયા છે, તે પણ પીડિત પરિવારોની સામે નહીં, મીડિયાની સામે આવ્યા છે. ભાજપના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયા તો મીડિયા સમક્ષ રડી પડ્યા અને પાછા પળવારમાં હસવા પણ માંડ્યા. ભાનુ બાબરિયાએ મીડિયા સમક્ષ મગરના આંસૂ સાર્યા હતા.

રાજકોટમાં આગની ઘટનાના 8 દિવસ પછી હવે ભાનુ બાબરિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી,પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ મીડિયાની સામે આવ્યા હતા અને પોતાની કેફિયત રજૂ કરી હતી.

ભાનુ બાબરિયાએ કહ્યું કે, જો TRP આગની ઘટનામાં મારું કોઇક પણ જગ્યાએ નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ.ગોવિંદ પટેલ,કમલેશ મીરાણી, પુષ્કર પટેલે પણ આવી જ વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp