શંકરસિંહ વાઘેલાએ આ જગ્યાએ દારૂ પીવાની છૂટ આપવા માગ કરી

PC: twitter.com

ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે ગાંધીનગરના ગિફ્રટ સિટીમાં તમામ કર્મચારીઓ અને માલિકો અને મહેમાનો માટે કેટલાંક નિયમો હેઠળ દારૂની છૂટ આપી છે એ પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે અને આ વિષય લોકોમાં પણ ખુબ ચર્ચાઇ રહ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મોડે મોડે પણ સરકારને સમજ આવી એ સારી વાત છે. તેમણે કહ્યું કે, સરકારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા મંદિરમાં પણ દારૂ પીવાની છૂટ આપવી જોઇએ.

તેમણે કહ્યું કે, જ્યારે સરકારે હવે પહેલ કરી છે તો આખા રાજ્યમાં દારૂની છૂટ આપી દેવી જોઇએ. તેમણે કહ્યું કે, ગાંધીજીના નામે હવે રાજકારણ બંધ કરી દેવું જોઇએ.

વાઘેલા બાપુએ કહ્યું કે,મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને વિનંતી છે કે લોકો ચોરી છુપીથી દારૂ પીવે છે, કેટલીય બહેનો વિધવા બને છે તો ગુજરાતમાં સારી ક્વોલીટીનો દારૂ મળતો થાય તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp