અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજા-મહારાજાની જેમ જાઓ, નવી ટ્રેન શરૂ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા એક રજવાડી ટ્રેન શરૂ થઇ છે જે 5 નવેમ્બર, રવિવારથી ચાલું થવાની છે. આ ટ્રેન માત્ર રવિવારે જ અમદાવાદથી એકતા નગર અને એકતા નગરથી અમદાવાદ જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર કેવડિયાથી સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરવાની હતી.

આ ટ્રેન સરદારને શ્રધ્ધાંજલી આપવા માટે ખાસ શરૂ કરવામાં આવી છે.

રજવાઠી શાહી ઠાઠ સાથેની સુવિધા ધરાવતી ટ્રેન દર રવિવારે અમદાવાદથી સવારે 6-10 મિનિટ ઉપડશે અને એકતાનગર 9.50 મિનિટે પહોંચશે.

એકતા નગરનું પહેલા નામ નર્મદા કેવડિયા સ્ટેશન હતું હવે એકતાનગર સ્ટેશન કરી દેવામાં આવ્યું છે.

એજ પ્રમાણે દર રવિવારે એકતાનગરથી ટ્રેન 8-35 વાગ્યે ઉપડશે અને બપોરે 12-05 વાગ્યે અમદાવાદ પહોંચી જશે.

આ ટ્રેનમાં 4 કોચ હશે અનેકુલ 144 લોકો બેસી શકશે. ચાલું ટ્રેને ભોજન માણવાની સુવિધા પણ છે.

ખાસ સાગના લાકડાથી બનાવવામાં આવા ડાઇનિંગ ટેબલ પર એક સાથે 28 લોકો બેસી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp