આ નેતાએ રાજ્યસભાની ટિકિટ માગી કોંગ્રેસીઓને ચોંકાવી દીધા
આવતા મહિને રાજ્યસભાની ચૂંટણી થવાની શક્યતાઓ છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ચાક સાંસદો ફારેગ થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં દાવેદારોની સંખ્યા વધી રહી છે. પીઢ નેતાએ રાજ્યસભાની ટિકિટ માંગી કોંગ્રેસીઓને ચોંકાવી દીધા છે.
સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે કામ કરી ચૂકેલા અને વિધાનસભા ઉપરાંત કોર્પોરેશનની ચૂંટણીમાં હારી ગયેલા પીઢ કોંગ્રેસી નેતા શંભુ પ્રજાપતિ( કુંભાર શંભુભાઈ જીવાભાઈ)એ રાજ્યસભા માટે પોતાની દાવેદારી કરી છે. આ માટે શંભુ પ્રજાપતિએ માટે કોંગ્રેસના વિવિધ નેતાઓને ભલામણ પત્ર લખી આપવા માટેના પત્રો પણ લખ્યા છે.
કોંગ્રેસના નેતાઓને પત્ર લખી શંભુ પ્રજાપતિએ રાજ્યસભા માટે ભલામણ કરવાની રજૂઆત કરી છે. 1945માં જન્મેલા શંભુ પ્રજાપતિ 35 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે. આ ઉપરાંત સામાજિક ક્ષેત્ર અને સહારી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp