અંકલેશ્વરમાં ગોળી મારીને યુવાનની કરાઈ ઘાતકી હત્યા

PC: flickr.com

અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક અજાણ્યા શખ્સોએ યુવાન ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હત્યા કોણે અને કેમ કરી તેની પોલીસે તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સારંગપુર ગામ નજીક આવેલા પદ્માવતીનગરમાં રહેતા સમીમખાન ગેરેજ ચલાવતા હતા. રાત્રે બાઈક લઈને ગેરેજથી ઘરે આવ્યા હતા અને ઘર પાસે બાઈક ઉભી રાખી હતી ત્યારે રાત્રિના અંધારામાં કેટલાક શખ્સોએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. ગોળીબારના અવાજથી આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા.

ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ મોકલી આપવામાં આવ્યો છે. યુવાનની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp