ગુજરાતના 2 જિલ્લામાં ચોમાસા જેવો ધોધમાર પડ્યો, ખેડૂતોમાં ચિંતા, આગાહી શું કહે છે

PC: news18.com

અત્યારે ગુજરાતના લોકો બે સિઝનનો અનુભવ કરી રહ્યા છે એક તો શિયાળાની ઠંડીનો અને બીજી તરફ માવઠાનો. ગુજરાતમાં તાજેતરમાં જ 26 અને 27 નવેમ્બરે કમોસમી વરસાદે ગુજરાતના અનેક વિસ્તારોને ઘમરોળી નાંખ્યુ હતું. હવે આજે શુક્રવારે ગુજરાતના બે જિલ્લાઓમાં માવઠું થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. એક દાહોદ જિલ્લો અને એક મહીસાગર જિલ્લો. કમોસમી વરસાદ એવો પડ્યો જે રીતે ચોમાસામાં ધોધમાર વરસાદ વરસે છે.

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે દાહોદમાં માવઠું આવી શકે છે. ઉપરાંત 2થી 4 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે.

ગુજરાતમાં આવેલા દાહોદ જિલ્લો 2 ઓકટોબર 1997માં પંચમહાલ જિલ્લામાંથી છુટો પડ્યો હતો. આ જિલ્લો સરહાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલો છે અને આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે.દાહોદમાં શુક્વારે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડુતોમાં ચિંતા વધી છે.

મહીસાગર જિલ્લો 26 જાન્યુઆરી 2013થી બન્યો હતો. પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી અલગ થઇને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. મહિ નદી પરથી જિલ્લાનું નામ મહીસાગર નામ રાખવામાં આવ્યું છે.

મહીસાગરમાં પણ શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં કમોસમી વરસાદે ખેડુતોની ચિંતા વધારી હતી અને ખેડુતો હજુ તેની કળમાંથી બહાર નથી આવ્યા ત્યાં હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આવતીકાલથી એટલે કે શુક્રવારથી ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે માવઠું થશે. અત્યારે ખેડુતો માટે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે અને કમોસમી વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દેશે.

હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીઅ કહ્યું છે કે ગુજરાતમાં ફરી એક માવઠાંની શક્યતા દેખાઇ રહી છે. ગોસ્વામીએ કહ્યું કે, દક્ષિણ ભારતમાં ઇશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને બંગાળની ખાડીમાં વારંવાર અસ્થિરતા જોવા મળી રહી છે. જેને કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમનું નિર્માણ થયું છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેનો ટ્રોફ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, આ જે ફેરફારો થઇ રહ્યા છે તેને કારણે 1લી ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે કહ્યુ કે 2થી 4 ડિસેમ્બર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે અને 5 ડિસેમ્બરથી વાતાવરણ ખુલ્લું થઇ જશે.

ખેડુતોને આ વખતે સારો પાક ઉતારવાની આશા હતી, પરંતુ જે રીતે કમોસમી વરસાદ આવી રહ્યો છે તેમ તેમ ખેડુતોમાં ચિંતા વધી રહી છે. જો વધારે દિવસો સુધી કમોસમી વરસાદ આવશે તો ખેડુતોએ ભારે નુકશાન વેઠવાનું આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp