50થી ઓછી ઉંમરના 5 લાખ લોકોના હાર્ટએટેકથી મોત, રાજ્યસભા સાંસદ પ્રિયંકાનો દાવો

PC: froedtert.com

રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે રાજ્યસભામાં મોટો દાવો કર્યો છે. શિવસેના (UT) ના રાજ્યસભા સાંસદે દાવો કર્યો હતો કે દેશમાં 50 વર્ષથી ઓછી ઉંમરના 5 લાખથી વધુ લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા છે. તેમણે કહ્યુ કે ફાઇઝરની વેક્સીન જે અમેરિકામાં અનેક લોકોને લગાવવામાં આવી હતી, જ્યારે તેમની પર દબાણ આવ્યું તો, હવે કંપનીએ જણાવ્યું છે કે વેક્સીનની શું શું આડઅસર થઇ છે. રાજ્યસભા સાંસદે કહ્યું કે આપણે પણ તેના પર આત્મચિંતન કરવાની જરૂર છે.

શિવેસેના (UT)ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રાજ્યસભમાં કહ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ વિષય છે જેના પર ખાસ ધ્યાન આપવું જોઇએ. આપણે એ વિષય પર વાત કરવી જોઇએ કે કોવિડના ગંભીર સ્વરૂપમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જે દવા સૂચવવામાં આવી હતી તેમાં કોઇ ખામી તો નહોતી ને.મંત્રાલયે આ વિષય પર માર્ગદર્શિકા આપી છે, પરંતુ તે આ સમસ્યાનો ઉકેલ પૂરો પાડવા માટે પૂરતા નક્કર નથી.

તેમણે આગળ કહ્યું કે મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને હાર્ટ સંબંધિત કોઇ સમસ્યા નહોતી, પરંતું તેમના હાર્ટએટેકને કારણે મોત થયા. ભારતમાં હાર્ટએટેકની વધી રહેલી ઘટના ચિંતાનો વિષય છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વિષય પર વધુ સંશોધન કરીને ડેટા એકત્રિત કરવો જોઈએ. આના દ્વારા એ પણ જોવું જોઈએ કે કોરોના પછી તેની શું અસર થઈ રહી છે. સાથે જ એ પણ જોવું જોઈએ કે આપણે દવા કે વેક્સીનઅંગે સંશોધન અને માળખું બનાવવું પડશે.

તેમણે કહ્યું કે મંત્રાલયે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે અંગે એક માળખું બનાવવું પડશે. તેમણે કહ્યું કે લેન્સેટ (સંશોધન મેગેઝિન)નો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 5 થી 6 લાખ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તે તમામની ઉંમર 50 વર્ષથી ઓછી છે. આ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થા માટે પણ દુઃખદ બાબત છે.

રાજ્યસભા સાંસદ ચતુર્વેદીએ કહ્યું કે,આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે હું આરોગ્ય મંત્રાલયને ડેટાબેઝ બનાવવાની અપીલ કરું છું. રોજેરોજ આપણને એવા સમાચાર મળી રહ્યા છે કે ક્રિકેટ રમતી વખતે અથવા દાંડિયા કરતી વખતે ક્યારેક કોઈ વ્યક્તિ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, જ્યારે આ લોકોનો હૃદય સંબંધિત કોઈ ઇતિહાસ નથી. તેમણે એ પણ જણાવ્યું કે તાજેતરમાં જ એક 38 વર્ષના યુવકને ટ્રેનમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp