WHOનો દાવો- પેટમાં ઝેર ભરે છે ભોજન બનાવવાની આ રીત, વર્ષે 3 મિલિયન મોત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)નું માનવું છે કે લાકડા, કોલસા કે કેરોસિનની આગ પર ભોજન બનાવવાથી શરીરના આંતરિક અંગો જેવા કે હાર્ટ, મગજ અને ફેફસાના સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પડે છે. જો આ અંગોને હેલ્થી રાખવા છે તો આ રીતથી ભોજન બનાવવું છોડવું પડશે. ભોજન બનાવવા માત્ર ક્લીન કૂકીંગ ઈંધણનો ઉપયોગ કરવો જોઇએ.

આંતરિક અંગોના દુશ્મન

WHOએ જણાવ્યું કે દુનિયાની ચોથા ભાગની વસતી ભોજન બનાવવા માટે ઝેરીલા ઈંધણનો ઉપયોગ કરે છે. સૂકા પાકોનું ભૂંસુ, લાકડા, કોલસા અને કેરોસિન...આ ખતરનાક ઈંધણ છે. કોલસા કે લાકડાની આગ પર ભોજન બનાવવાથી તમને ઈસ્કેમિક હાર્ટ ડીસિઝ, સ્ટ્રોક, રેસ્પિરેટરી ઈન્ફેક્શન, ક્રોનિક પલ્મોનરી ડિસીઝ(ફેફસાની બીમારી) અને લંગ કેંસરનો ખતરો બની શકે છે.

WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણ પર બનાવેલ ભોજન શરીરમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. આનાથી દર વર્ષે લગભગ 3 મિલિયન લોકોના મોત થાય છે. જેમાં હ્યદયની બીમારીથી 32, સ્ટ્રોકથી 23, ફેફસાની બીમારીથી 21, પલ્મોનરીથી 19 અને લંગ કેંસરથી 6 ટકા લોકોના મોત થયા છે.

સૌથી વધારે આ લોકોને ખતરો

WHOએ જણાવ્યું કે, આ ઝેરીલા ઈંધણોનો ઉપયોગ સૌથી વધારે મહિલાઓ અને બાળકો માટે ખતરનાક છે. મહિલાઓ આનાથી નીકળતા ખતરનાક ધૂમાડાના સંપર્કમાં વધારે આવે છે. જ્યારે બાળકો આને સહન કરી શકતા નથી.

ક્લીન ફ્યૂલનો વપરાશ

WHOએ જણાવ્યું કે, દુનિયામાં 10માંથી 3 લોકો ક્લીન કુકીંગ ફ્યૂલ્સનો ઉપયોગ કરતા નથી. ક્લીન ફ્યૂલ્સની લિસ્ટમાં બાયોગેસ, એલપીજી, ઈલેક્ટ્રિક, ઈથેનોલ, નેચરલ ગેસ અને સોલર પાવર સામેલ છે. ભોજન બનાવવા માટે હંમેશા આનો ઉપયોગ કરવો જોઇએ.

 
 
 
View this post on Instagram

A post shared by World Health Organization (@who)

ખેર, ઘણાં લોકો જે વારે વારે એવું કહેતા હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની આગથી બનાવેલ ભોજન સૌથી સ્વાદિષ્ટ હોય છે. એ સાચુ છે કે માટીના ચૂલ્હા પર લાકડા કે કોલસાની આગ પર બનાવેલ ભોજનથી આનંદ મળે છે. પણ એ પણ હકીકત છે કે આ રીતથી બનાવેલ ભોજન તમને અંદરથી નુકસાન પહોંચાડી શકે છે. બીજી વાર જ્યારે તમે તંદૂરી રોટી, તંદૂરી ચિકન, કોલસા પર બનેલ સિક કબાબ, લાકડાની આગમાં બનાવેલી રોટલીનો આનંદ માણો તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.