પેકીંગ વાળું દૂધ ઉકાળવું કે નહીં? નિષ્ણાત પાસેથી સત્ય જાણીને તમે ચોંકી જશો!

PC: zeenews.india.com

દૂધ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આજકાલ દરેક ઘરમાં પેકેટ દૂધનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેકેજ્ડ દૂધને ઉકાળવું જરૂરી છે કે નહીં? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે. દૂધને ઉકાળવાની પ્રક્રિયા વિશે જાણવું જરૂરી છે, કારણ કે તે માત્ર દૂધના સ્વાદ અને ગુણધર્મોને જ બદલી શકતું નથી, પરંતુ તેના સેવન સાથે સંકળાયેલા જોખમોને પણ ઘટાડે છે. ચાલો જાણીએ કે આ વિશે નિષ્ણાત અભિપ્રાય શું કહે છે.

ડૉ. વિચાર નિગમ, મણિપાલ હૉસ્પિટલ, પૂણેમાં આંતરિક દવાઓના સલાહકાર, સમજાવે છે કે, જ્યારે દૂધને 100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને ઉકાળવામાં આવે છે, ત્યારે મોટાભાગના બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવો (જેમ કે સાલ્મોનેલા અને ક્લોસ્ટ્રિડિયમ) નાશ પામે છે. આ પ્રક્રિયા દૂધને સુરક્ષિત બનાવે છે. દૂધને જ્યારે ઉકાળવામાં આવે છે ત્યારે તેના પ્રોટીન પણ ડીનૈચર થઈ જાય છે, જે તેને પચવામાં સરળ બનાવે છે અને ચરબીના અણુઓ તૂટી જાય છે અને શરીરમાં સારી રીતે શોષાય છે. દૂધ ઉકાળવાથી તેની શેલ્ફ લાઇફ વધે છે અને દૂધનો સ્વાદ પણ થોડો મીઠો અને ઘટ્ટ બને છે. તેમજ તેના કારણે દૂધ ઝડપથી બગડતું નથી.

ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે, શું પેકેજ્ડ દૂધ (જે સામાન્ય રીતે આપણે બજારમાંથી ખરીદીએ છીએ)ને ઉકાળવાની જરૂર છે? ડો. નિગમ સમજાવે છે કે,જો પેકેજ્ડ દૂધ અનપાશ્ચ્યુરાઇઝ્ડ હોય, તો તેને ઉકાળવું જરૂરી છે, કારણ કે તેમાં એવા સૂક્ષ્મજીવો હોઈ શકે છે, જે દૂધને પેક કરવામાં આવે તે પહેલાં તેમાં લાગેલા હોય છે. જ્યારે, ગુરુગ્રામના આહાર નિષ્ણાત ડૉ. અર્ચના બત્રા કહે છે કે, ભારતમાં જે દૂધ સીલબંધ પેકેટમાં આવે છે, તે સામાન્ય રીતે પાશ્ચરાઈઝ્ડ હોય છે, એટલે કે તે ગરમીની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યું હોય છે, જેના કારણે હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. આ પ્રકારનું દૂધ ઉકાળવું જરૂરી નથી. જો કે, જો તમે દૂધને સુરક્ષિત રાખવા માંગતા હો, તો તેને ઉકાળવામાં કોઈ નુકસાન નથી.

જો તમે પાશ્ચરાઇઝ્ડ દૂધનું સેવન કરી રહ્યા છો, તો તેને ઉકાળવું જરૂરી નથી. પરંતુ જો દૂધ અનપેસ્ટ્યુરાઇઝ્ડ હોય, તો તેને ઉકાળવું જરૂરી છે. દૂધ ઉકાળવાથી તેના પોષણ મૂલ્યમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ તે લાંબા સમય સુધી સલામત અને ઉપયોગી બને છે.

નોધ: આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તમારા કૌટુંબિક ડૉક્ટરની સલાહ જરૂર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp