તરબૂચને ફ્રીજમાં રાખતા હોવ તો બંધ કરી દેશો, આ છે કારણ

ઉનાળામાં લોકો મોટાભાગે ફળો ઠંડા ખાતા હોય છે કારણ કે આ સિઝનમાં ઠંડી વસ્તુઓનો સ્વાદ વધુ સારો લાગે છે, પરંતુ જો તમે તરબૂચને ફ્રીજમાં સ્ટોર કરો છો તો આ ભૂલ ન કરો. નિષ્ણાતોના મતે ફ્રિજમાં ઠંડુ કરીને તરબૂચ ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. તરબૂચમાં 92 ટકા જેટલું પાણી હોય છે. તે તમને ઉનાળામાં હાઇડ્રેટેડ રાખે છે. આ સિવાય તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઈબર હોય છે અને તેથી જ્યારે તમે તેને ખાઓ છો, ત્યારે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વારંવાર ભૂખ નથી લાગતી. તે વજન ઘટાડવા માટે પણ સારું માનવામાં આવે છે, પરંતુ જો તમે તરબૂચને ફ્રિજમાં રાખો અને તેને ઠંડુ થયા પછી ખાશો તો તમને તેનું સંપૂર્ણ પોષણ નહીં મળે.

વિશ્વભરમાં થયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે તરબૂચને ઠંડુ થયા બાદ ખાવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. 2009માં 'જર્નલ ઑફ એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રી'માં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, તરબૂચને ઠંડું કરવાથી તેમાં રહેલા લાઇકોપીન અને બીટા-કેરોટીન તત્વોમાં ઘટાડો થાય છે. ઠંડકથી તેમાં હાજર કેરોટીનોઈડનું સ્તર 11 થી 40 ટકા ઓછું થઈ જાય છે.

નિષ્ણાતોના મતે, સામાન્ય તાપમાનમાં પણ, તમે તરબૂચને કાપ્યા વિના થોડા દિવસો સુધી આરામથી રાખી શકો છો, પરંતુ જો તમે તેને કાપી નાખો છો, તો પછી તેને જલદી ખાઓ. તરબૂચને ફ્રીજમાં ન રાખવાનો પ્રયાસ કરો. બીજી બાજુ, જો તેને રાખવાની જરૂર હોય, તો તેને કાપશો નહીં, તેને આખું રાખો અને ખાવાના થોડા સમય પહેલા તાપમાન સામાન્ય થયા પછી તેને કાપી નાખો.

તરબૂચને રેફ્રિજરેટરમાં રાખવાથી તેના પોષક તત્ત્વો નષ્ટ થાય છે, પરંતુ તેનો એક ગેરલાભ એ પણ છે કે ખૂબ ઠંડું તરબૂચ ખાવાથી તમારા ગળામાં દુખાવો થઈ શકે છે. આ સિવાય જો તેને લાંબા સમય સુધી કાપવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે.

જો તમે રાત્રે તરબૂચને કાપીને ફ્રિજમાં રાખો અને બીજા દિવસે સવારે તેને ખાશો તો તેનાથી તમને ફાયદો નહીં થાય, નુકસાન થશે. તેથી, હંમેશા તાજા કાપેલા તરબૂચ ખાઓ. બીજી તરફ, જો તમે તેને ફ્રિજમાં રાખ્યું હોય તો પણ તેને ખાવાના થોડા સમય પહેલા ફ્રીજમાંથી બહાર કાઢીને રાખો. જ્યારે તેનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ તેને ખાઓ.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.