15 ઓગસ્ટથી 30 લાખ લોકોને મળશે નોકરી, INDIAનું તોફાન આવી રહ્યું છે: રાહુલ ગાંધી

PC: jansatta.com

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવની તરફેણમાં ચૂંટણી પ્રચાર મેદાનમાં ઉતર્યા. તેમણે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધન INDIAની સૌથી મોટી જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે UPમાં INDIAનું તોફાન આવી રહ્યું છે. રોજગારના મુદ્દે PM નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અમે બેરોજગારોના હિતમાં સૌથી મોટું કામ કરવાના છીએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ લોકોને નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અદાણી-અંબાણી વિવાદ પર પ્રહાર કરતા તેમણે PM નરેન્દ્ર મોદીને ઘેર્યા. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ડરી ગયા છે. આ ડરના કારણે તેઓ તેમના મિત્રોને કહી રહ્યા છે કે, અદાણી-અંબાણી, મને બચાવો. INDIAના જોડાણે મને ઘેરી લીધો છે. હું હારી રહ્યો છું. કન્નૌજ બેઠક પર આયોજિત રેલીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સ્ટેજ શેર કર્યું હતું. જ્યારે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ તેમાં હાજર હતા.

UPમાં વિપક્ષની જીતનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજ્યમાં વિપક્ષ ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે. BJP INDIAના વાવાઝોડામાં ઉડી જશે. ભારતીય જનતા પાર્ટી UPમાં તેની સૌથી મોટી હારનો સામનો કરવા જઈ રહી છે. રાહુલે કહ્યું, લેખિતમાં લઇ લો, BJPની દેશની સૌથી મોટી હાર UPમાં થવાની છે.

PM નરેન્દ્ર મોદીએ અગાઉ અદાણી-અંબાણીનું નામ ન લેવા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કનૌજની બેઠકમાં રાહુલ ગાંધીએ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં PM મોદીએ અદાણી-અંબાણીનું નામ નથી લીધું. 10 વર્ષમાં હજારો ભાષણો આપ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ડરી જાય છે, ત્યારે તે એવા લોકોના નામ લે છે, જેના વિશે તેઓ વિચારે છે, કે તે તેને બચાવી લેશે. એટલા માટે PM નરેન્દ્ર મોદીજીએ પોતાના બે મિત્રોના નામ લીધા. તેઓ કહી રહ્યા છે કે, INDIA જોડાણે મને ઘેરી લીધો છે. મને આમાંથી બચાવો. હું હારી રહ્યો છું. અદાણી-અંબાણીજી મને બચાવો. તે જાણે છે કે અદાણીજી પૈસા કેવી રીતે અને કયા ટેમ્પોમાં મોકલે છે.

રાહુલ ગાંધીએ કન્નૌજના મંચ પરથી દાવો કર્યો કે, આ વખતે PM નરેન્દ્ર મોદી PM નહીં બને. રાહુલે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમે અખિલેશ યાદવ સાથે મળીને કામ કરી રહ્યા હતા. અમે સુનિશ્ચિત કર્યું છે કે, BJP ફરીથી સત્તામાં ન આવે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવામાં 10-15 દિવસ બાકી છે. આ પછી પરિણામો પરથી સ્પષ્ટ થશે. તેમણે કહ્યું, લેખિતમાં લઈ લો, અમે જે કહી રહ્યા છીએ તે સાચું થશે. છેલ્લા બે વર્ષમાં આપણે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી છે. અમે ન્યાય યાત્રા દ્વારા દેશને જાગૃત કર્યો છે. અમે અમારું કામ કરી દીધું છે. આ અમારી ગેરંટી છે કે PM નરેન્દ્ર મોદી ભારતના PM નહીં બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp