PM મોદીની 155 રેલીના ભાષણોનું એનાલિસીસ, હજારો વાર આ શબ્દો બોલ્યા

PC: livemint.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરે ત્યારે મીડિયા તેમના ભાષણોનું એનાલિસીસ કરે છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પણ એનાલિસીસ કર્યું છે. મલ્લિકાજૂર્ન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 15 દિવસમાં તેમના ભાષણોમાં 421 વખત મંદિર શબ્દોનો અને 768 વખત મોદી શબ્દનો ઉપયોગ કર્યો, તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાતો કરી નથી.

મિન્ટના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં PM મોદીએ કુલ 155 રેલીઓ કરી જેમાં તેમણે 2942 વખત કોગ્રેસ અને 2862 વખત પોતાના નામ મોદીનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય મોદી કી ગેરંટીનો તેમમે 342 વખત ઉપયોગ કર્યો.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસનો પરિવારવાદ, પાકિસ્તાન, ભ્રષ્ટાચાર, વિરાસત કર અને મોદી કી ગેરંટી એ 5 શબ્દોનો ઉપયોગ કરીને વિપક્ષને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp