INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો

PC: livemint.com

4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનીન બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.

ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો સર્વે છે. અમારા નેતાઓને જે ઇનપૂટ મળ્યા છે તેના આધારે અમે આ દાવો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp