PM મોદીએ શરદ પવારને કહી દીધું ભટકતી આત્મા, આવું કેમ બોલ્યા હશે?
![](https://khabarchhe.com/uploads/mc_path/1714472867PM-Narendra-Modi,-Sharad-Pawar1.jpg)
PM નરેન્દ્ર મોદીએ સોમવારે પુણેમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી અને તેમનું નામ લીધા વિના શરદ પવાર પર સીધો પ્રહાર કર્યો. PM મોદીએ પવારને 'ભટકતી આત્મા' કહીને પણ ટોણો માર્યો છે. PM મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 45 વર્ષ પહેલા એક 'ભટકતી આત્મા'એ પોતાની મહત્વકાંક્ષા માટે રમત શરૂ કરી હતી અને ત્યારથી અસ્થિરતા લાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. હવે તે વ્યક્તિ દ્વારા દેશને અસ્થિર કરવાનું કામ થઈ રહ્યું છે. PM મોદીએ મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM અજિત પવારના નેતૃત્વમાં ગઠબંધનની જીત માટે અપીલ કરી હતી, જેથી કરીને ભારતના વિકાસના સપનાને સાકાર કરવામાં આવે.
બારામતી, શિરુર, માવલ અને પુણે લોકસભા બેઠકો પર મહાયુતિના પક્ષમાં ચૂંટણી વાતાવરણ તૈયાર કરવા PM મોદી સોમવારે પુણે પહોંચ્યા હતા. અહીં તેમણે સુનેત્રા પવાર, મુરલીધર મોહોલ, શ્રીરંગ બાર્ને, શિવાજી અધલરાવની તરફેણમાં મત માંગ્યા. PM મોદીએ મહારાષ્ટ્રના અવિકસિત વિસ્તારોને લઈને શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે, અમુક ભટકતી આત્માઓ હોય છે, જેમની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, તેમની આત્માઓ ભટકતી રહે છે. તેમનું પોતાનું કામ ન થાય તો બીજાના કામ બગાડવાનું શરુ કરી દે છે.
PM મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, 45 વર્ષ પહેલા એક મોટા નેતાએ પોતાની મહત્વકાંક્ષા માટે આ રમત શરૂ કરી હતી. ત્યારથી મહારાષ્ટ્ર અસ્થિરતાના સમયગાળામાં ચાલ્યું ગયું, જેના પછી ઘણા મુખ્યમંત્રીઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં. PM મોદીએ પવારનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે, આ ભાવના માત્ર વિરોધીઓને અસ્થિર જ નથી કરતી પરંતુ કંઈ પણ કરી શકે છે. આ આત્મા પોતાનો પક્ષ અને તેના પરિવાર પણ છોડતો નથી. 1995માં મહારાષ્ટ્રમાં BJP-શિવસેનાની સરકાર આવી ત્યારે પણ આ જ આત્મા સરકારને અસ્થિર કરવા માટે કામ કરી રહી હતી.
PM મોદીએ 2019ના રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, મહારાષ્ટ્રના લોકો સારી રીતે જાણે છે કે, જનાદેશનું આટલું મોટું અપમાન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આ જ આત્મા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશમાં પણ અસ્થિરતા સર્જવાની રમત રમી રહી છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં લાંબા સમયથી અસ્થિરતાનો સમય જોવા મળી રહ્યો છે. આજે હું જે કંઈક કહેવા જઈ રહ્યો છું, પરંતુ કોઈએ તેના માથા પર ટોપી ન લઇ લેવી જોઈએ. આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે, અમુક ભટકતી આત્માઓ હોય છે, જેમની ઈચ્છાઓ પૂરી થતી નથી અને જેમના સપના પૂરા થતા નથી, એવી આત્માઓ ભટકતી રહે છે. જો આવી આત્મા જો પોતાનું કામ ન થાય તો તે બીજાના કામ બગાડવામાં આનંદ લે છે. આપણું મહારાષ્ટ્ર પણ આવી ભટકતી આત્માઓનો શિકાર બન્યું છે. 45 વર્ષ પહેલા અહીંના એક મોટા નેતાએ પોતાની મહત્વાકાંક્ષા માટે રમત શરૂ કરી હતી, ત્યારથી મહારાષ્ટ્ર એક અસ્થિરતાના સમયગાળામાં ગરકાવ થઇ ગયું અને ઘણા મુખ્યમંત્રીઓ તેમનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નહીં.
તે માત્ર વિરોધ પક્ષને જ અસ્થિર નથી કરતી, પરંતુ આ આત્મા કંઈપણ કરી શકે છે. તે પોતાની પાર્ટીમાં પણ આવું જ કરે છે અને આ આત્મા તેના પરિવારમાં પણ એવું જ કરે છે. 1995માં જ્યારે BJP-શિવસેના સરકાર સત્તામાં આવી ત્યારે પણ આ આત્માએ સરકારને અસ્થિર કરવાનું શરૂ કર્યું હતું. 2019માં, તો તેઓએ જનાદેશનું ખૂબ જ મોટું અપમાન કર્યું છે, મહારાષ્ટ્રના લોકો તે સારી રીતે જાણે છે અને આજે માત્ર મહારાષ્ટ્રને અસ્થિર કરવાથી તે આત્મા સંતુષ્ટ નથી, બલ્કે દેશમાં અસ્થિરતા પેદા કરવાની રમત ચાલી રહી છે. આજે ભારતને આવી ભટકતી આત્માઓથી બચાવીને દેશમાં સ્થિર અને મજબૂત સરકાર તરફ આગળ વધવાની જરૂર છે. હું ઈચ્છું છું કે, મહારાષ્ટ્રમાં આપણી પાસે એક મહાન ગઠબંધન છે, તે એવી રીતે તાકાત સાથે આગળ વધે કે તે છેલ્લા 25-30 વર્ષની તમામ ખામીઓને પૂર્ણ કરીને વિકસિત ભારતના સપનાને એક ડ્રાઇવિંગ એન્જિન પૂરું પાડવાનું કામ કરે. CM શિંદે જી, DyCM દેવેન્દ્ર જી અને DyCM અજીત જીના નેતૃત્વમાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp