ફરી લક્ષ્મીબાઇ અને મહારાણા પેદા થાય:ક્ષત્રિય મહાસંમેલનમાં તૃપ્તિબાનો હુંકાર

પરષોત્તમ રૂપાલાને હટાવવાના સંકલ્પ સાથે રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસમેંલનમાં લાખો લોકોની ભીડ એકઠી થઇ છે. ક્ષત્રિય સમાજના નેતા તૃપ્તિબા રાઓલે મંચ પરથી કહ્યું કે, ફરી એકવાર લક્ષ્મીબાઇ અને મહારાણા પેદા થાય તે જરૂરી છે. રાજકોટના રતનપરમાં યોજાયેલા મહા સંમેલનમાં ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કર્યું છે.

ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતાના મહિલા અધ્યક્ષ અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તૃપ્તિબા રાઓલે રાજકોટના રતનપરમાં યોજાયેલા વિશાળ ક્ષત્રિય સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ક્યાં સુધી આપણે આપણા સંતોનાને રાણી લક્ષ્મી બાઇ, જીજીબાઇ, શિવાજી મહારાજ કે રાણાની વાતો કરતા રહીશું? તૃપ્તિબાએ કહ્યુ કે, મારી અને તમારી અંદર કોઇ રાણા ઉભા થાય, લક્ષ્મી બાઇ ઉભા થાય અને આજે સમય છે આપણા ગૌરવવંતા ઇતિહાસની રક્ષા કરવાનો. તેમણે સાથે એમ પણ કહ્યુ કે, મેં ભી મોદી કા પરિવાર કહેવામાં આવે છે તો હિંદુ દીકરીઓ પર ટીપ્પણી થઇ છે તો PM મોદી શું જવાબ આપશે?

ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે કહ્યુ કે, હવે 400 પાર નહી, નદી પાર. ગોહિલે કહ્યુ રૂપાલાની કોઇ પણ સંજોગોમાં રાજકોટમાંથી ટિકિટ કાપવામાં આવે. અમને રોટી-બેટી અને અસ્મિતા સામે વાંધો છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદન સામે જંગ ચડેલા ક્ષત્રિય સમાજે 14, એપ્રિલ, રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કર્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા છે. રાજ્યભરમાંથી ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો પહોંચ્યા છે. રાજકોટમાં રૂપાલા સામે જબરદસ્ત શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મેદાન લોકોથી ખીચોખીસ ભરાઇ ગયું છે. રતનપરના 13 એકર વિસ્તારમાં આ મહાસંમેલન રાખવામાં આવ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ નહીં બને તેના માટે સવારથી પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.રાજકોટમાં જે માનવ મહેરાણમણ ઉમટ્યું છે તે જોઇને રૂપાલા અને ભાજપના ધબકારા વધી ગયા હશે.

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે 2024ના દિવસે એક સભામાં એવું નિવેદન કર્યુ હતું કે દેશમાં અંગ્રેજો અને બીજા લોકો આવ્યા હતા અને તેમણે દમન કરવમાં કોઇ કસર નહોતી છોડી. તે વખતે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભડકો થયો હતો અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે વિરોધનો વંટોળ શરૂ કર્યો હતો. રૂપાલાએ 3 વખત માફી માંગી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ 2 હાથ જોડીને માંફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજના લોકો માફી આપવા તૈયાર નથી અને એક જ માંગ પર અડીને બેઠા છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી રૂપાલાને હટાવવવામાં આવે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.