ભાજપની ગુજરાતમાં આ 4 બેઠકોનું કોકડું હજુ કેમ ગુંચવાયું છે?

ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 17 મેના દિવસે ચૂંટણી થવાની છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા નથી.

ગુજરાતમાં ભાજપે જે 4 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર નથી કર્યા તેમાં મહેસાણા, અમરેલી,સુરેન્દ્રનગર અને જુનાગઢની સીટ છે. મહેસાણમાં વર્ષ 2019માં શારદાબેન પટેલ 2.81 લાખથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે ઘણા સમય પહેલાં જ કહી દીધું હતું કે, પોતે ચૂંટણી લડવા માંગતી નથી. મહેસાણા બેઠક પર નીતિન પટેલે પણ નામ ખેચીં લીધું છે.

અમરેલીમાં વર્ષ 2019માં નારણ કાછડીયા 2 લાખ મતથી જીત્યા હતા, સુરેન્દ્રનગરમાં ડો. મહેન્દ્ર મુંજપરા 2.65 લાખ મતથી જીત્યા હતા જ્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમાં દોઢ લાખ મતથી જીત્યા હતા.

જાણવા મળેલી વિગત મુજબ ભાજપ આ ચારેય બેઠકો પર નવા ઉમેદવારો ઉતારે તેવી સંભાવના છે, એવા સંજોગોમાં જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને કોઇ વિવાદ ન ઉભો થાય એટલે નામ જાહેર કરવામાં મોડું થઇ રહ્યં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp