TMCએ યુસુફ પઠાણને ટિકિટ આપી વિરોધ થતા ક્રિકેટરે જુઓ શું કહ્યું
![](https://khabarchhe.com/uploads/mc_path/17101373325.jpg)
લોકસભાની ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. બધી પાર્ટીઓ પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહી છે. તેમાં કેટલાક ક્રિકેટર્સના નામ પણ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી રાજ્યની બધી 42 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, તૃણમૂલ કોંગ્રેસે ભારતીય ટીમના 2 પૂર્વ ક્રિકેટર્સ યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદને પણ ટિકિટ આપવામાં આવી છે. આ બંને જ ક્રિકેટર્સ ભારત માટે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે.
યુસુફ પઠાણને બહરામપુર અને કીર્તિ આઝાદને દુર્ગાપુરથી ટિકિટ મળી છે. ટિકિટ મળ્યા બાદ હવે બંને સ્ટાર ખેલાડીઓના રીએક્શન પણ સામે આવ્યા છે. ટિકિટ મળ્યા બાદ પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિજેતા યુસુફ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી મમતા બેનર્જી અને તેમની પાર્ટીનો આભાર માન્યો છે. યુસુફ પઠાણે લખ્યું કે, મમતા બેનર્જીએ જે મને TMC ફેમિલીમાં સામેલ કર્યો છે અને મારા પર ભરોસો વ્યક્ત કર્યો છે કે હું સંસદમાં લોકોનો અવાજ બની શકું છું, તેના માટે હું તેમનો આભારી છું. જનપ્રતિનિધિ હોવાના સંબંધે મારું કર્તવ્ય ગરીબો અને વંચિતોના ઉત્થાન કરવાનું છે. હું આશા રાખું છું કે, એમ કરી શકું છું.'
I'm eternally grateful to Smt. @MamataOfficial for welcoming me into the TMC family and trusting me with the responsibility to become people's voice in the Parliament.
— Yusuf Pathan (@iamyusufpathan) March 10, 2024
As representatives of the people, it is our duty to uplift the poor and deprived, and that is what I hope to… pic.twitter.com/rFM5aYyrDg
બીજી તરફ કીર્તિ આઝાદને સવાલ કરવામાં આવ્યો કે તમે બંગાળની રાજનીતિથી કેટલા પરિચિત છો? તેના પર તેમણે કહ્યું કે, હું પોલિટિક્સથી પૂરી રીતે પરિચિત છું. મારા પિતાજી મુખ્યમંત્રી હતા અને એક સ્વતંત્રતા સેનાની હતા. દેશનું પ્રતિનિધિત્વ કર્યું. અંતતઃ જોવા જઈએ તો લોકોની સમસ્યાને સાંભળવી, સમજાવી અને તેને બુલંદીઓથી પાર્લિયમેન્ટમાં ઉઠાવવી એ બધાનું કર્તવ્ય હોય છે. તેને લઈને અમે આગળ વધીશું. પાર્ટી આ વખત ક્રિકેટર્સને ખૂબ અવસર આપી રહી છે? તેના પર તેમણે કહ્યું કે, આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ કે પહેલા મનોજ તિવારી પણ છે. તેઓ મંત્રી છે.
જે પ્રકારે કળાના ક્ષેત્રથી લોકો છે, સિનેમાથી લોકો છે, ચિત્રકાર છે, દરેક પ્રકારની લોકોને દીદીએ જગ્યા આપી છે. બધી કળાના ક્ષેત્રથી લોકોને અવસર મળવો જોઈએ. દિલ્હીની પીચ (રાજનીતિ) જાણીતી છે, પરંતુ બંગાળ અને એ પણ દુર્ગાપુરની પીચ પર કેવી રીતે બૉલ (રાજનીતિ) કરવાનો છે અને કેવી રીતે બેટિંગ કરવાની છે? તેના પર કીર્તિ આઝાદે કહ્યું કે, એવું કંઇ હોતું નથી કે પીચ અલગ છે કે નહીં. તમે બૉલ રમો છો, બોલરને નહીં. અમારી સામે કોણ છે, BJP છે અમારી સામે. સમસ્યાઓ એક પ્રકારે જ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp