બેંક ડૂબી જાય તો કેટલા પૈસા પાછા મળે, જાણો તે વિશેના કાયદા

થોડા દિવસો પહેલા કેટલીક બેંકોની ખરાબ સ્થિતિના સમાચાર મળી રહ્યા છે. એવામાં ઘણા બધા ગ્રાહકો હેરાન થઇ ગયા છે. માની લો કે, જો તમે કોઇ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે અને તે બેંક ડૂબી જાય છે તો તમને કેટલા પૈસા પાછા મળશે. એક વર્ષ પહેલા જે નિયમ હતો તે અનુસાર, બેંક ડૂબી જાય તો તેમને વધુમાં વધુ એક લાખ રૂપિયા મળવા પાત્ર હતા.

આ નિયમને બદલવા માટે હવે સામાન્ય બજેટ 2021માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડિપોઝીટ ઇન્શોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના બાદ તે કાયદો બદલાઇ ગયો અને ઇન્શ્યોર્ડ રકમની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. લગભગ 28 વર્ષ બાદ આ ઇન્શ્યોર્ડ રકમની લિમિટ વધારવામાં આવી છે. ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એક રીતની સ્કીમ જ છે, જેના હેઠળ કોઇ બેંક ફેલ થાય છે તો ત્યાર બાદ ગ્રાહકોને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુરક્ષિત રૂપે મળે છે.

આ ફેરફાર બાદ ડિપોઝિટર્સને એ વાતની રાહ ન જોવી પડશે કે, બેંક લિક્વિડેશન પ્રક્રિયામાં જાય, ત્યારે જ પોતાની ડિપોઝિટ કરેલી રકમને ક્લેમ કરી શકે. જો કોઇ બેંક મોરેટોરિયમમાં પણ હોય તો, ડિપોઝીટર્સ DICGC એક્ટ હેઠળ પોતાની રકમ ક્લેમ કરી શકે છે. બીજી ભાષામાં કહીએ તો તેનો મતલબ એ થાય છે કે, નવા સંશોધનથી એ બેંકોના હજારો ડિપોઝીટર્સને રાહત મળી શકે છે, જે બેંક લાંબા સમય સુધી મોરેટોરિયમમાં રહે છે.

DICGC એક્ટ, 1961ની કલમ 16(1)ની જોગવાઇ હેઠળ, જો કોઇ બેંક ડૂબી જાય છે કે બેંકરપ્સી જાહેર કરે છે તો, DICGC એક્ટ હેઠળ પ્રત્યેક ડિપોઝીટરને ભોગવણી કરવા માટે DICGC જવાબદાર હોય છે. તેની જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીનો વિમો હશે. તમારી એક જ બેંકની કેટલીક બ્રાન્ચમાં ખાતા છે તો દરેક ખાતામાં જમા રકમ અને વ્યાજ જોડવામાં આવશે અને ફક્ત 5 લાખ રૂપિયા સુધી જમાને જ સુરક્ષિત ગણવામાં આવશે. તેમાં મૂળધન અને વ્યાદ બન્ને શામેલ કરવામાં આવશે. તેનો મતલબ છે કે, જો બન્ને મળીને 5 લાખથી વધુ થાય તો ફક્ત 5 લાખ જ સુરક્ષિત ગણવામાં આવશે.

કોઇપણ બેંકને રજિસ્ટર કરતી વખતે DICGC તેમને પ્રિંટેડ દસ્તાવેજો આપે છે, જેમાં ડિપોઝીટર્સને મળનારી ઇન્શોરન્સની જોગવાઇ વિશે જાણકારી હોય છે. જો કોઇ ડિપોઝીટરને આ વિશે જોણકારી જોઇતી હોય તો તે બેંકની બ્રાન્ચના અધિકારીને એ વિશે પૂછી શકે છે.

DICGC દ્વારા વીમાની રકમ ગણતી વખતે એક જ બેંક એક જ વ્યક્તિના દરેક ખાતાને ધ્યાનમાં રાખે છે. જો તે ફંડ્સનો માલીકી હક્ક વિભિન્ન રીતે છે તો અલગ અલગ બેંકમાં ડિપોઝીટ છે તો વીમાની રકમ અલગ અલગ જ હશે. માની લો કે, તમે બે બેંકોમાં ખાતા ખોલાવ્યા છે. તો તે બન્ને ખાતામાં વધુમાં વધુ 5-5 લાખ રૂપિયા ઇન્શ્યોર્ડ હશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.