રાજ્યના ATMમા નાણાંની અછત મુદ્દે જાણો શું કહ્યું નિતીન પટેલે

PC: indianexpress.com

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ATMમા નાણાંની અછત સર્જાવાને કારણે દોડાદોડી થઈ જવા પામી છે. રાજ્યમાં અનેક સ્થળોએ ATMમા પૈસા ન હોવાથી લોકોએ જ્યાં પૈસા નીકળી રહ્યા હતા, ત્યાં રીતસરની લાઈનો લગાવી દીધી હતી અને અમુક જગ્યાએ તો નોટબંધીની યાદ અપાવી દે તેવા દૃશ્યો સર્જાયા હતા.

રાજ્ય સરકાર ATMમા જ નહીં પરંતુ બેંકોમાં પણ નાણાંની અછત હોવાની કબૂલાત કરી ચૂક્યા છે. આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ગુજરાતમાં વધારે નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, આ માંગ 3 દિવસ પહેલા કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિને જોતા આ માંગ હજુ સુધી સંતોષાય હોય તેવું લાગતું નથી.

નિતીન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી રોકડ નોટો રાજ્યના ઘણા શહેરોમાં બેંકોને પ્રાપ્ત થતી નથી. અમે 3 દિવસ પહેલા પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગુજરાતના રિજનલ મેનેજર સાથે વાત કરી હતી. ગઈકાલે પણ તેમની સાથે મેં વાત કરી હતી. મુખ્ય સચિવને પણ અમે વાત કરવાનું કહ્યું હતું અને તેમણે પણ તેમની સાથે ચર્ચા કરી છે અને મોટા પ્રમાણમાં રોકડ નોટ પ્રાપ્ત થાય અને બેંકોને આપવામાં આવે તે માટે ગુજરાત સરકાર તરફથી અમે સતત રિઝર્વ બેંકના સંપર્કમાં છીએ અને વહેલી તકે આ રોકડ નાણાંની અછત દૂર થાય તેવો અમારો પ્રયત્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp