પ્રથમ શહીદ અગ્નિવીર અક્ષયના પરિવારને 1 કરોડ 13 લાખ આપવામાં આવશે, સમજો ગણિત
લદ્દાખના સિયાચીનમાં તૈનાત ભારતીય સેનાના જવાન ગાવતે અક્ષય લક્ષ્મણ ફરજ પર તૈનાત સમયે શહીદ થનાર પ્રથમ અગ્નિવીર છે. સેનાના લેહ સ્થિત ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે રવિવારે જણાવ્યું હતું કે, એક અગ્નિવીર લક્ષ્મણ સિયાચીનમાં ફરજ પર હતા ત્યારે શહીદ થયા છે. સેનાએ શહીદ ગાવતે અક્ષય લક્ષ્મણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, તેમના પરિવારને 1 કરોડ રૂપિયાથી વધુની રકમ કેવી રીતે મળશે.
ગાવતે કારાકોરમ રેન્જમાં લગભગ 20,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયર ખાતે તૈનાત હતા. આ ગ્લેશિયરને વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈવાળા યુદ્ધ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં સૈનિકોને તેજ બર્ફીલા પવનો સાથે સંઘર્ષ કરવો પડે છે. તે ભારતનું સૌથી મોટું ગ્લેશિયર અને વિશ્વનું બીજું સૌથી મોટું ગ્લેશિયર છે. શનિવારે વહેલી સવારે લક્ષ્મણનું અવસાન થયું હતું.
શહીદના પરિવારને આપવામાં આવનાર વળતર અંગે, સેનાએ X પર પોસ્ટ કર્યું, 'અગ્નવીર (ઓપરેટર) ગાવતે અક્ષય લક્ષ્મણે સિયાચીનમાં પોતાની ફરજ બજાવતા તેમનો જીવ આપ્યો. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂતીથી ઊભી છે. મૃતકના નજીકના સંબંધીઓને નાણાકીય સહાય અંગે સોશિયલ મીડિયા પરના વિરોધાભાસી સંદેશાઓને ધ્યાનમાં રાખીને, તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે, નજીકના સગાને મળનાર વળતર સૈનિકની સેવાના સંબંધિત નિયમો અને શરતો દ્વારા સંચાલિત થાય છે.' અગ્નિવીરની નિમણૂકની શરતો મુજબ, શહીદ માટે અધિકૃત વળતર નીચે મુજબ હશે:- શહીદ ગાવતે અક્ષય લક્ષ્મણના પરિવારને યોગદાન વીમા તરીકે રૂ. 48 લાખ મળશે. આ સાથે શહીદના પરિવારને 44 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ પણ મળશે. એટલું જ નહીં, શહીદના પરિવારને અગ્નિવીર દ્વારા ફાળો આપેલ સર્વિસ ફંડ (30 ટકા)માંથી એક રકમ પણ મળશે, જેમાં સરકાર દ્વારા સમાન યોગદાન અને તેના પર વ્યાજ પણ સામેલ હશે. આ ઉપરાંત, પરિવારને મૃત્યુની તારીખથી ચાર વર્ષ પૂરા થવા સુધીના બાકીના કાર્યકાળ માટે પણ પૈસા મળશે અને આ રકમ 13 લાખ રૂપિયાથી વધુ હશે. આ સિવાય સશસ્ત્ર દળ યુદ્ધ કેઝ્યુઅલ્ટી ફંડમાંથી શહીદ જવાનોના પરિવારજનોને 8 લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવશે. આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AWWA) તરફથી 30 હજાર રૂપિયાની તાત્કાલિક આર્થિક સહાય. એટલે કે કુલ રકમ 1 કરોડ 13 લાખ રૂપિયાથી વધુ થશે.
#Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief.
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023
In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે 'X' પર કહ્યું, બરફમાં શાંત રહેવા માટે, જ્યારે બ્યુગલ વાગશે ત્યારે તેઓ ઉભા થશે અને ફરી કૂચ કરશે.' તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સની તમામ રેન્ક સિયાચીનની મુશ્કેલ ઊંચાઈઓ પર ફરજ પર રહેલા અગ્નિવીર (ઓપરેટર) ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.'
Quartered in snow silent to remain, when the bugle calls they shall rise and march again
— @firefurycorps_IA (@firefurycorps) October 22, 2023
All ranks of Fire and Fury Corps salute the supreme sacrifice of #Agniveer (Operator) Gawate Akshay Laxman, in the line of duty, in the unforgiving heights of #Siachen and offer deepest… pic.twitter.com/1Qo1izqr1U
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp