CAA સાથે જોડાયેલા એ 10 મુદ્દાઓ જેમાં તમને બધી જાણકારી મળશે

PC: newsboxbharat.com

સિટિઝનશીપ અમેડમેન્ટ એક્ટ (CAA)ને 11 માર્ચ 2024થી લાગૂ કરી દેવામાં આવ્યું છે. CAA વિશે 10 મુદ્દા વિશેની તમને જાણકારી આપીશું.

પહેલીવાર 2016માં લોકસભામાં નાગરિકતા સુધારો કાયદો બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે લોકસભામાં પાસ થયું હતું પણ રાજ્યસભામાં અટકી ગયું હતું. 2019માં ફરી બિલ રજૂ થયું અને લોકસભા-રાજ્યસભા બંનેમાં પસાર થયું, 2020માં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી. (2) એ પછી વિરોધ થયો હતો અને પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણાં થયા હતા. (3) નિયમ એવો છે કે રાષ્ટ્રપતિની મંજૂરી પછી 6 મહિનાની અંદર કાયદો લાગૂ કરી દેવો પડે છે. જો કાયદો લાગુ ન પડે તો સંસદીય સમિતિ પાસે એક્સ્ટેન્શન માંગવું પડે છે. ગુહ મંત્રાલયે અત્યાર સુધી એક્સ્ટેન્શન લીધું હતું.

(4) પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 2014 પહેલાં આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે. (5) નાગરિકતા મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે. (6) અત્યાર સુધીમાં 1414ને નાગરિકતા મળેલી છે. (7) નાગરિકતા છીનવી લેવાની CAAમાં કોઇ જોગવાઇ નથી.

(8) ભારતમાં નાગરિકતા મેળવવા માટે 11 વર્ષ રહેવું પડે, પરંતુ શરણાર્થીઓ માટે 6 વર્ષ ગણતરીમાં લેવાયા છે. (9) બાંગ્લાદેશની સરહદ નજીક હોવાથી મોટાભાગના શરણાર્થી પૂર્વોત્તર રાજ્યોમાં વસ્યા છે. (1) પૂર્વોત્તરમાં સ્થાનિકોની વસ્તી ઘટતી જઇ રહી છે અને શરણાર્થી વધી ગયા છે એટલે વિરોધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp