શું કોર્ટના નિર્ણય સુધી ED સામે રજૂ નહીં થાય કેજરીવાલ? AAPએ આપ્યા સંકેત
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે દિલ્હીના તથા કથિત આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે રજૂ થયા નથી. EDએ છઠ્ઠી વખત સમન્સ જાહેર કરતા અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા. આ કેસ પર હવે આમ આદમી પાર્ટી (AAP)નું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીએ છઠ્ઠા સમન્સને ગેરકાયદેસર કરાર આપતા કહ્યું કે, EDએ કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાની જગ્યાએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. ચાલો તો જાણીએ આમ આદમી પાર્ટીના આ નિવેદનથી શું સંકેત મળે છે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું કે, જ્યારે ED પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટ જઇ ચૂકી છે. અરવિંદ કેજરીવાલ પહેલા જ 17 ફેબ્રુઆરીએ વર્ચૂઅલી કોર્ટમાં હાજર થઈ ચૂક્યા છે. તેઓ 16 માર્ચે ફરી હાજર થશે. આ કેસમાં જે પણ નિર્ણય આવશે, અમે તેને સ્વીકારીશું. એવામાં EDએ પણ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ તરફથી ઘણા સમન્સને નજરઅંદાજ કરવા પર EDએ આ મહિનાની શરૂઆતમાં એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
VIDEO | "When the ED has already moved the court against Delhi CM Arvind Kejriwal and he has already appeared virtually on Feb 17; he will appear again on March 16, then the ED should also wait. Whatever the decision comes in this case, we will accept it," says AAP national… pic.twitter.com/mlHmtJO6dW
— Press Trust of India (@PTI_News) February 19, 2024
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં પત્રકારોને કહ્યું કે, EDને કાયદા મુજબ જવાબ આપવામાં આવી રહ્યો છે. અમે કાયદા મુજબ જવાબ આપી રહ્યા છીએ. હવે EDએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેણે કોઈ નવું નિવેદન જાહેર કરવા અગાઉ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. રાઉજ એવેન્યૂ કોર્ટે શનિવારે કેન્દ્રીય એજન્સી દ્વારા દાખલ ફરિયાદના સંબંધમાં અરવિંદ કેજરીવાલને દિવસભર માટે વ્યક્તિગત ઉપસ્થિતિથી છૂટ આપી દેવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી કોર્ટને જણાવ્યું કે, દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે.
એ માર્ચના પહેલા અઠવાડિયા સુધી ચાલશે. કોર્ટે એવું પણ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ સમક્ષ સુનાવણીની આગામી તારીખ 16 માર્ચે ઉપસ્થિત થશે. તો ભાજપની દિલ્હી એકાઈના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, કોર્ટે પણ માન્યું કે કેજરીવાલને ED તરફથી મોકલવામાં આવેલું સમન્સ કાયદેસર હતું અને તેમણે તપાસમાં સહયોગ કરવો જોઈએ. જો કેજરીવાલ કોર્ટના નિવેદન છતા EDના સમન્સને ગેરકાયદેસર બતાવે છે તો એ કોર્ટની અવમાનના હશે. તો EDના અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સી આ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવું સમન્સ જાહેર કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp