પોલીગ્રાફી ટેસ્ટમાં છીંક ખાતો હતો આફતાબ, કહ્યું-શ્રદ્ધાને મારતા પહેલા દૃશ્યમ જોઈ
દિલ્હીમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલાના પોલીગ્રાફી ટેસ્ટનું બીજું સેશન પૂર્ણ થઈ ગયું છે. તેનો ટેસ્ટ આગળ પણ ચાલુ રહી શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેસ્ટ દ્વારા આવી ઘણી બાબતો જાણવા મળી છે, જે આશ્ચર્યજનક છે. આફતાબે કબૂલ્યું છે કે તેણે શ્રદ્ધા વોકરની હત્યા કરતાં પહેલાં બોલિવૂડ ફિલ્મ 'દૃશ્યમ' જોઈ હતી. અને તે તેના બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યો હતો. રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ દૃશ્યમ ફિલ્મ જોયા બાદ હત્યાની કહાની બનાવવાના મૂડમાં હતો. તેણે સંપૂર્ણ પ્લાનિંગ સાથે શ્રદ્ધાની હત્યા કરી હતી અને તે તેના મિત્રો સાથે ફોન અને સોશિયલ મીડિયા પર વાત કરતો હતો.
સૂત્રના જણાવ્યા અનુસાર, પોલીગ્રાફી ટેસ્ટમાં પ્રથમ દિવસે જ્યારે એફએસએલ નિષ્ણાતે આફતાબને પૂછ્યું હતું કે, શું તું મૂવી જોઈને બચી શકે છે? આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ આફતાબને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મ દૃશ્યમ જોઈ છે? તો આના પર આફતાબે કહ્યું કે હા તેણે દૃશ્યમ ફિલ્મ જોઈ છે. હવે દૃશ્યમ પાર્ટ 2 પણ આવી ગયો છે. એક અહેવાલ અનુસાર, તેણે સ્વીકાર્યું છે કે તેણે ફિલ્મ દૃશ્યમ જોયા પછી કાવતરું ઘડ્યું હતું.
Shradha murder case | Delhi: Polygraph test of Aftaab is underway. He's being questioned by a special team & procedure is underway. The test may be concluded today but it can be extended to tomorrow as well: Sanjeev Gupta, FSL Assistant director pic.twitter.com/FvTnFL5qKf
— ANI (@ANI) November 25, 2022
પોલીગ્રાફી ટેસ્ટમાં સામેલ મનોવૈજ્ઞાનિકોને લાગે છે કે આફતાબ શ્રદ્ધાને નફરત કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાને ફરવાનો ખૂબ જ શોખ હતો. આ કારણોસર આફતાબ તેને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ લઈ ગયો હતો. શ્રદ્ધાને ફરવા લઈ જવી એ પણ હત્યાના પ્લાનિંગનો એક ભાગ હતો. તે બતાવવા માંગતો હતો કે બંને વચ્ચે બધું સામાન્ય થઈ રહ્યું છે. તે પછી માટે પુરાવાઓ બનાવી રહ્યો હતો. જેથી એ સાબિત થઈ શકે કે શ્રદ્ધાએ તેને છોડી દીધો છે. આ જ કારણ છે કે મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે તેણે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં નહીં પરંતુ સંપૂર્ણ આયોજન હેઠળ કરી હતી. તેને મુંબઈથી દિલ્હી લાવવી પણ એ પ્લાનિંગનો એક ભાગ હતો. તેણે એમ પણ કહ્યું કે તેનો શ્રદ્ધાના માતા-પિતા સાથે ઘણી વખત ઝઘડો થયો હતો.
અગાઉ એવું જાણવા મળ્યું હતું કે બીજા સેશનમાં પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબને 40 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન તેને ઘણી વખત છીંક આવી. આફતાબને પણ હળવી શરદી હતી. જેના કારણે ગુરુવારે પોલીગ્રાફ ટેસ્ટ અધૂરો રહ્યો હતો. એફએસએલના સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબ મોટાભાગના પ્રશ્નોના જવાબ એક જ લાઈનમાં આપી રહ્યો હતો. સૂત્રોનું એમ પણ કહેવું છે કે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન એફએસએલ નિષ્ણાતો તમામ પ્રશ્નો હિન્દીમાં પૂછતા હતા પરંતુ આફતાબ મોટાભાગના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં જ આપી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp