હાર્ટએટેકનું કારણે કોરોના વેક્સીન છે? મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો આ જવાબ

છેલ્લાં કેટલાંક સમયથી યુવાન વયના લોકોમાં અચાનક હાર્ટએટેકના કેસો વધી જવાને કારણે એવી ચર્ચા ઉભી થઇ હતી કે કોરોના વેક્સીનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતને ફગાવી દીધી છે.

કોવિડ-19 એ પેન્ડામિકને બદલે એન્ડામિક બનવાની અણી પર છે, પરંતુ દેશના વૈજ્ઞાનિકો તેના દરેક નવા પ્રકાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ સાથે સરકાર પણ હાઈ એલર્ટ પર રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે, 20 જૂને આ વાત કહી છે. આ સાથે, તેમણે તાજેતરમાં કાર્ડિયાક અરેસ્ટના કેસોમાં કોવિડ વેક્સીનનેકારણે વધારો થઇ રહ્યાના અહેવાલોને ફગાવી દીધા છે.

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ રસી સંબંધિત સંશોધનથી લઈને તેને લગાવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં તમામ સ્થાપિત આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. વિવિધ શારીરિક અને સામાન્ય પ્રક્રિયાઓને કારણે અગાઉ વેક્સીનને બનાવવામાં અને મંજૂર કરવામાં વધુ સમય લાગતો હતો, પરંતુ આ વખતે અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેથી આખી પ્રક્રિયા ઝડપી થઇ શકી છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વેક્સીન માટે આપવામાં આવેલી મંજૂરી લાંબા ગાળાની આડઅસરોને ધ્યાનમાં લીધા વિના ઉતાવળમાં કરવામાં આવી હતી અને આ જ કારણ છે કે તાજેતરમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે.  આરોગ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું કે,વડાપ્રધાન મોદીએ કોવિડ મેનેજમેન્ટથી લઈને રસીના સંશોધન અને રસીકરણ અભિયાન માટે મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાઓ માટે શરૂઆતથી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું કે અમે  મહામારી સામે લડવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું. ડેટા વિશ્લેષણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. ભારતે એ જ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું જે વૈશ્વિક કંપનીઓ અનુસરે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી તરીકે, મનસુખ માંડવિયા પાસે ફાર્માસ્યુટિકલ્સ વિભાગનો હવાલો પણ છે, જે તેઓ લાંબા સમયથી સંભાળી રહ્યા છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ભારતમાં વેક્સીન ખુબ ઝડપથી લાવવામાં આવી, પરંતુ વેક્સીનની ઝડપ વિશે સવાલ પુછનારા લોકોએ સમજવું જોઇએ કે મંજૂરી જલ્દી કેમ મળી?  તેમણે કહ્યું કે, પહેલા ડેટા એકત્ર કરવામાં આવતો, એનાલીસીસ કરવામાં આવતું અને બીજી ઘણી બધી પ્રક્રિયાઓ થતી, જેમાં ઘણો સમય લાગતો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ટેક્નોલોજી છે, જેની મદદથી આપણે કામને ઝડપી બનાવી શકીએ છીએ.

દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કાર્ડિયાક અરેસ્ટ અને કોવિડ-19 રસીથી થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા વચ્ચેની સંભવિત લિંક પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જે આગામી બે અઠવાડિયામાં બહાર આવી શકે છે. મનીકંટ્રોલ વેબસાઇટે ICMRના ડાયરેક્ટર જનરલ રાજીવ બહેલને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક અને કોવિડ વેક્સીન વચ્ચેની લિંક શોધવા માટે સંશોધકોએ ચાર અલગ-અલગ અભ્યાસ કર્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.