2500 મંદિરોમાં ઓલિયંડર ફૂલ ચઢાવવા પર પ્રતિબંધ, શું છે જે જીવ પણ લઇ લે છે?

PC: wikipedia.org

કેરળ સરકાર દ્વારા નિયંત્રિત બે મંદિર ટ્રસ્ટોએ રાજ્યના મંદિરોમાં ઓલિયંડર (કરવીર અથવા કાનેર) ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને બોર્ડ રાજ્યમાં 2,500થી વધુ મંદિરોનું સંચાલન કરે છે. આખરે, ઓલિયંડર શું છે, તેના પર પ્રતિબંધ શા માટે મૂકવો પડ્યો? ચાલો તમને જણાવીએ…

30 એપ્રિલે કેરળમાં 24 વર્ષીય નર્સ સૂર્યા સુરેન્દ્રનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરેન્દ્રનનું મૃત્યુ ઓલિયંડરના ઝેરને કારણે થયું હતું. રિપોર્ટ અનુસાર સુરેન્દ્રન બ્રિટનમાં નોકરી લાગી હતી. તે 28 એપ્રિલના રોજ ત્યાં જવાની હતી. તે જ દિવસે સવારે, ફોન પર વાત કરતી વખતે, તેણે ભૂલથી તેના ઘરમાં ઉગતા ઓલિયંડરમાંથી કેટલાક પાંદડા તોડ્યા અને તેને ચાવી લીધા. તેને ખબર જ ન હતી કે તે ઝેરી છે. થોડા સમય પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ઉલ્ટી થવા લાગી. તે જ દિવસે તે કોચી એરપોર્ટ પર પડી ગઈ અને થોડા દિવસો પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને પૂછ્યું કે તેણે શું ખાધું છે? તો તેણે કહ્યું કે તેણે ઓલિયંડરના પાન ચાવ્યા હતા. ત્યાર પછી, જ્યારે પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે સુરેન્દ્રનનું મૃત્યુ ઓલિયંડરના ઝેરના કારણે થયું હતું.

નેરિયમ ઓલિયંડર, સામાન્ય રીતે ઓલિયંડર અથવા રોઝબે તરીકે ઓળખાય છે, સમગ્ર વિશ્વમાં ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગતો છોડ છે. આ છોડની ખાસ વાત એ છે કે તે દુષ્કાળને પણ સહન કરી શકે છે. તેને જીવવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી. આ છોડ ભારતના તમામ વિસ્તારોમાં જોવા મળે છે.

કેરળમાં આ છોડને અરલી અને કનાવિરમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં તેને હાઈવે અને દરિયા કિનારે મોટી સંખ્યામાં રોપવામાં આવ્યું છે. ઘણા લોકો તેને ફૂલો માટે તેમના ઘરોમાં પણ ઉગાડે છે. ઓલિયંડરની એક ડઝનથી વધુ જાતો છે અને દરેક અલગ અલગ રંગ ધરાવે છે.

સરકારી દસ્તાવેજ, ‘આયુર્વેદિક ફાર્માકોપિયા ઓફ ઈન્ડિયા’ (API)માં પ્રકાશિત થયેલા અહેવાલમાં ઓલિયંડરના ઔષધીય ગુણધર્મોનું વિગતવાર વર્ણન છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ઓલિયંડરના મૂળ અને છાલમાંથી તૈયાર તેલનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે કરી શકાય છે. બૃહત્રયી, નિઘંટસ અને અન્ય આયુર્વેદિક ગ્રંથોમાં પણ ઓલિયંડરનો ઉલ્લેખ મળે છે. ચરક સંહિતામાં પણ આનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે, તે રક્તપિત્ત સહિત ગંભીર પ્રકૃતિના ક્રોનિક ત્વચા રોગો સાથે કામ કરવા માટે ફાયદાકારક છે.

બોટનિકલ ગાર્ડન, નોઈડાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. શિવ કુમારે મીડિયા સૂત્રને જણાવ્યું કે, ઓલિયંડર, કનેર પરિવારનો છોડ છે. કનેર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ-પીળો રંગ, જે ભગવાન શંકરને સમર્પિત છે અને બીજો-આછો ગુલાબી અને સફેદ. બંને ઝેરી છે. આમાં ઔષધીય ગુણો પણ છે. ડો.કુમાર કહે છે કે, ઓલિયંડરની સૌથી ખાસ વાત એ છે કે, તે વાયુ પ્રદૂષણને અટકાવે છે. તેથી જ તે રસ્તાના કિનારે અને ડિવાઈડર વચ્ચે ઉગાડવામાં આવે છે.

ભલે ઘણી આયુર્વેદિક દવાઓમાં ઓલિયંડરનો ઉપયોગ થતો હોય પરંતુ, તે સદીઓથી ઝેરી હોવાનું જાણીતું છે. સંશોધકો શૈનન D લેંગફોર્ડ અને પોલ J બુરે લખ્યું છે કે, આ છોડનો ઉપયોગ લોકો ક્યારેક આત્મહત્યા માટે કરતા હતા. આ સિવાય ઓલિયંડરને સળગાવવાથી નીકળતો ધુમાડો પણ નશાકારક અથવા ઝેરી હોઈ શકે છે.

ઓલિયંડરના ફૂલો અને પાંદડાઓના સેવનથી ઉબકા, ઝાડા, ઉલટી, ચકામા, ભ્રમ જેવી સ્થિતિ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય હૃદયના ધબકારા વધી શકે છે. અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે, ઓલિયંડરની આડઅસર 1 થી 3 દિવસ સુધી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp