'ભાઈ, ચૂંટણીમાં રાહુલ ગાંધીની જરૂર છે', આસામના CMએ શા માટે આવું કહ્યું

PC: hindi.moneycontrol.com

આસામમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન બાદ આસામના CM હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને કટાક્ષોનો દોર ચાલુ છે. હકીકતમાં, આસામના CMએ ઘણા અલગ-અલગ આરોપો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા, અને એમ પણ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદની ધરપકડ કરવામાં આવશે.

તેમના નિવેદન પછી, કર્ણાટકના કેબિનેટ મંત્રી પ્રિયંક ખડગેએ હેન્ડલ X પર વળતો પ્રહાર કર્યો હતો, જેના પર જવાબ આપતા CM સરમાએ લખ્યું હતું કે, 'ભાઈ, ચૂંટણી દરમિયાન અમને રાહુલ ગાંધીની જરૂર છે.' હકીકતમાં હેન્ડલ X પર કર્ણાટકના કેબિનેટ મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું હતું કે, 'લોકસભાની ચૂંટણીની શા માટે રાહ જુઓ છો, CM હિમંતા બિસ્વા સરમાજી?'

 

જો રાહુલ ગાંધીજીએ કાયદો તોડ્યો છે, તો તમે આગળ આવીને જરૂરી પગલાં કેમ નથી લેતા? તમે આ નહીં કરશો, કારણ કે તમે સારી રીતે જાણો છો કે, તે જે કહે છે તે સાચું છે, તમે મણિપુરમાં તમારા પડોશીઓ સાથે ઉભા રહ્યા નથી અને આસામના લોકોને લૂંટી રહ્યા છો. તે ફક્ત લોકોની ભાવનાઓનું પુનરાવર્તન કરી રહ્યો છે, જે તમને ડરાવે છે.' આ સાથે પ્રિયંક ખડગેએ અખબારની કટિંગ પણ શેર કરી હતી.

આસામમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાયા બાદ CM હિમંતા સરમાએ આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા'ને શહેરના પ્રાથમિક માર્ગો દ્વારા પૂર્વોત્તર રાજ્યની રાજધાની ગુવાહાટીમાં પ્રવેશવાની મંજૂરી ન અપાયા પછી કોંગ્રેસના કાર્યકરો અને આસામ પોલીસ વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. CM હિમંતા સરમાની આગેવાની હેઠળની સરકારે રેલીને શહેરથી દૂર ખસેડવા અને તેના બદલે ગુવાહાટી બાયપાસનો ઉપયોગ કરવા કહ્યું, તે પછી અથડામણ થઈ. પોલીસે રેલીને શહેરમાં પ્રવેશતી અટકાવી હતી, જેના કારણે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો હતો.

આ બાબતે બોલતા, CM હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે, FIR સિવાય, એક વિશેષ તપાસ ટીમ (SIT) તપાસ કરશે અને 'લોકસભા ચૂંટણી પછી તેમની (રાહુલ ગાંધી) ધરપકડ કરવામાં આવશે.' અત્રે ઉલ્લેખનીય છે કે, આસામ પોલીસે હવે કેસને આસામ CIDને ટ્રાન્સફર કરી દીધો છે. હિમંતા સરમા અને રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી શાબ્દિક યુદ્ધમાં વ્યસ્ત હતા, જે કોંગ્રેસના કાર્યકરો અને આસામ પોલીસ વચ્ચેના ઘર્ષણ પછી વધુ ભડક્યો હતો.

આ ઘટના પછી, કોંગ્રેસના સાંસદે ગુવાહાટીની બહાર તેમના પક્ષના કાર્યકરો અને સમર્થકોને સંબોધ્યા અને તેમને 'બબ્બર શેર (સિંહ) કહ્યા જે બેરિકેડ્સને નીચે પાડવા માટે પૂરતા મજબૂત હતા.' જો કે, તેમણે કહ્યું કે, સૌથી જૂની આ પાર્ટી 'કાયદો તોડશે નહીં.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp