BJP MLA બાલમુકુંદ આચાર્ય મુશ્કેલીમાં, આ મામલામાં બાબા વિરુદ્ધ FIR નોંધાઈ
રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પછીથી બે બાબાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે. એક બાબા બાલકનાથ છે, તિજારા વિધાનસભા સીટથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે, જેમના નામ પર CM પદ માટે વિચારણા કરવામાં આવી રહી છે. બીજું, જયપુરની હવામહલ સીટના ધારાસભ્ય સ્વામી બાલમુકુંદ આચાર્ય છે, જેઓ પોતાની વિવાદાસ્પદ ગતિવિધિઓને કારણે ચર્ચામાં છે. ચૂંટણી જીતતાની સાથે જ જયપુરમાં નોન-વેજ પર પ્રતિબંધની માંગણી કરતો અને પોલીસ સ્ટેશનમાં જઈને હંગામો મચાવતો વીડિયો વાયરલ થયા પછી તેઓ અચાનક ફેમસ થઈ ગયા હતા. પરંતુ હવે તેઓ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેની સામે દલિત પર હુમલો કરવા અને તેની જમીન કબજે કરવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે.
પીડિતા સૂરજમલ રૈગરે કોર્ટમાંથી ઇસ્તગાસ મારફત બાલમુકુંદ આચાર્ય અને પુરુષોત્તમ શર્મા વિરુદ્ધ કરધની પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પીડિતે તેમના પર ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાતા પીડિતે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના હસ્તક્ષેપ પછી 4 ડિસેમ્બરે કરધણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ACP જોતવારા સુરેન્દ્ર સિંહ રાણાવતને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ કહ્યું છે કે, આ જમીન અમારી છે. પાડોશી તેના પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, હવે કેસ નોંધવામાં આવ્યો છે, તો સ્પષ્ટ થઈ જશે કે કોણ સાચું છે.
જયપુરના કરધની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રિપોર્ટ અનુસાર, પીઠાવાસ ગામના રહેવાસી ફરિયાદી સૂરજમલ રૈગરે જણાવ્યું કે, 10 ઓગસ્ટ 2023ના રોજ ફરિયાદી તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે જ વખતે, બાલમુકુંદ આચાર્ય ઉર્ફે સંજય શર્મા તેના પિતા પુરુષોત્તમ શર્મા સહિત ઘણા લોકો સાથે તેમના ખેતરમાં આવ્યા હતા. આ પછી બાબાએ ફરિયાદીને છાતી પર લાત મારી હતી અને જાતિ આધારિત અપશબ્દો બોલતા ઝપાઝપી કરી હતી. પીડિતે જણાવ્યું કે, બાલમુકુંદ આચાર્યએ પછી કહ્યું કે, 'તમે અમારી વિરુદ્ધ કરધની પોલીસ સ્ટેશનમાં જે રિપોર્ટ નોંધાવી છે, તેનાથી અમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં અને અમારી પહોંચ ઉપર સુધી છે.' એટલું જ નહીં, તેણે ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.
राजधानी जयपुर से इस वक्त की बड़ी खबर
— Khursheed Baig (@khursheed_09) December 9, 2023
हवा महल विधायक बाल मुकुंद आचार्य के खिलाफ दर्ज हुआ मुकदमा
पीड़ित सूरजमल रैगर ने दर्ज करवाया मुकदमा
गाली गलौज, मारपीट सहित अन्य मामले को लेकर मुकदमा दर्ज
एसीपी सुरेंद्र सिंह कर रहे मामले की जांच#Jaipur #BJPMLA #balmukundacharya pic.twitter.com/reZbNFqOH5
મારપીટનો અવાજ સાંભળીને જિતેન્દ્ર સિંહ સહિત કેટલાક લોકો ત્યાં ગયા હતા. તેણે પીડિતને બચાવી લીધા પછી જ મામલો શાંત થયો. જોકે, બાલમુકુંદ આચાર્યએ પીડિતની જમીન પર ગેરકાયદે કબજો કરવાની ધમકી આપી હતી. આ પછી, 30 જુલાઈ, 2023ના રોજ, ફરિયાદીએ કરધની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી આરોપીઓનું મનોબળ ઘણું વધી ગયું હતું. તેઓ દરરોજ ફરિયાદી અને તેના પરિવારને ધમકાવવા લાગ્યા. આ પછી, 23 ઓગસ્ટ, 2023ના રોજ, વકીલે ફરિયાદી સૂરજમલ રેગર મારફત કોર્ટમાં ઇસ્તગાસા રજૂ કર્યા. આ પછી, કોર્ટે IPCની કલમ 341, 323 અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો. આ મામલે ACP તપાસ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ચૂંટણી પરિણામો આવ્યા પછી બાલમુકુંદ આચાર્ય પોતાના વિસ્તારમાં પહોંચી ગયા હતા. ત્યાં એક સરકારી અધિકારીને ફોન પર ચેતવણી આપવામાં આવી હતી કે, કોઈ પણ નોન-વેજ ફૂડ રસ્તા પર ન વેચાય. તેમણે એમ પણ કહ્યું કે, સાંજ સુધીમાં તમામ શેરીઓ સાફ થઇ જવી જોઈએ. તેણે અધિકારીને લોકોની વચ્ચે બોલાવીને પૂછ્યું હતું કે, શું રસ્તા પર ખુલ્લેઆમ નોનવેજ વેચી શકીએ? હા કે ના કહો. તો તમે આને સમર્થન આપો છો, તાત્કાલિક અસરથી રસ્તા પર આવેલી લારીઓ અને નોનવેજ બનાવીને વેચે છે તે તમામ નોન-વેજ ગાડીઓ દેખાતી ન હોવી જોઈએ. હું સાંજે તમારી પાસેથી રિપોર્ટ લઈશ, મને કોઈ ફરક નથી પડતો કે અધિકારી કોણ છે.' બાલમુકુંદ આચાર્ય આ ચૂંટણીમાં 600 મતોથી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp