મહુઆ મોઇત્રાએ કહ્યું- BJP ઈચ્છે છે કે હું તેમની પાર્ટીમાં જોડાઉ કારણ કે...
'કેશ ફોર ક્વેરી'ના આરોપમાં લોકસભામાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ કેન્દ્રમાં સત્તાનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચાર પર ખૂબ જ તીક્ષ્ણ વ્યંગ કર્યો છે.
બંગાળના કૃષ્ણા નગરના ભૂતપૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે BJP ઇચ્છશે કે હું શક્ય તેટલી વહેલી તકે તેમની સાથે જોડાઉં.'
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પૂર્વ લોકસભા સાંસદ મોઈત્રાએ કહ્યું કે, જે ઝડપે BJP અન્ય પાર્ટીઓના નેતાઓને આમંત્રિત કરી રહી છે, તે જોઈને લાગે છે કે, તે જલ્દી જ મને તેના પક્ષમાં સામેલ કરવા માંગશે.
તેના નિવેદનની સ્પષ્ટતા કરતા મોઇત્રાએ કહ્યું કે, તે રસપ્રદ છે કે BJP અન્ય પક્ષોના એ જ નેતાઓને પકડી રહી છે જેમની તેણે 'ભ્રષ્ટ' તરીકે નિંદા કરી હતી. મહુઆ મોઇત્રાએ X પર એક પોસ્ટમાં લખ્યું, 'મારો મતલબ, આ રીતે તેઓ જલ્દીથી મને પણ ઈચ્છશે. મેં વિચાર્યું કે રામ લલ્લાએ 2024માં 400 સીટો નક્કી કરી છે, પરંતુ તે પછી પણ BJP એ જ નેતાઓને પકડવા માટે કેમ બેતાબ છે, જેમને તેઓ હંમેશા 'ભ્રષ્ટ' કહીને નિંદા કરતી હતી?'
તૃણમૂલ નેતા મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ CM અને વરિષ્ઠ કોંગ્રેસી અશોક ચવ્હાણ મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપીને BJPમાં જોડાયા હતા. અશોક ચવ્હાણ BJPમાં જોડાયા ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, BJP તેમને રાજ્યસભા મારફતે સંસદમાં મોકલી શકે છે. આ સાથે BJPને આશા છે કે, અશોક ચવ્હાણ BJPમાં જોડાવાથી BJP, CM એકનાથ શિંદેની શિવસેના અને DyCM અજિત પવારની NCPનું ગઠબંધન મજબૂત થશે.
બીજી તરફ અશોક ચવ્હાણના જવાને કારણે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ચિંતા છે કારણ કે વિપક્ષી ગઠબંધનને ડર છે કે ઘણા ધારાસભ્યો ચવ્હાણના પગલે ચાલીને પાર્ટી છોડીને BJPની છાવણીમાં જોડાઈ શકે છે. ચવ્હાણ પહેલા કોંગ્રેસના મિલિંદ દેવરા CM એકનાથ શિંદેની શિવસેનામાં અને બાબા સિદ્દીકી અજિત પવારની NCPમાં જોડાયા હતા.
I thought Ram Lalla had taken care of 400 seats in 2024. So why is BJP desperately grabbing at the very same netas they always denounced as “corrupt”?
— Mahua Moitra (@MahuaMoitra) February 13, 2024
I mean at this rate they’ll soon want me.
જો કે મહુઆ મોઇત્રાએ કોઈ નેતા કે કૌભાંડનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અશોક ચવ્હાણ BJPમાં જોડાયા પછી આદર્શ કૌભાંડ ફરી ચર્ચામાં છે. વિપક્ષ BJPમાં જોડાવાનું મુખ્ય કારણ અશોક ચવ્હાણ સામે ચાલી રહેલી આદર્શ કૌભાંડની તપાસને ગણાવી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું કે, અશોક ચવ્હાણને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેની કાર્યશૈલીથી સમસ્યા છે. નાના પટોલેએ કહ્યું કે, કેન્દ્રએ અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર પર ચર્ચા દરમિયાન 'આદર્શ કૌભાંડ'નો ઉલ્લેખ કર્યો અને બધા જાણે છે કે તેની સાથે કોણ જોડાયેલું હતું.
BJPમાં જોડાયા પછી અશોક ચવ્હાણે આદર્શ કૌભાંડના આરોપોને લઈને કહ્યું કે, 'બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય મારા પક્ષમાં આવ્યો. હું તેને રાજકીય અકસ્માત તરીકે જોઉં છું. જો કે, કેટલીક એજન્સીઓએ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો છે, પણ મેં ઘણું બધું સહન કર્યું છે અને હવે તેને નોન-ઇશ્યુ ગણું છું.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp