લોકસભા ચૂંટણી પહેલા CAA લાગૂ થઇ જશે, જાણો કોને-કોને નાગરિકતા મળશે?

PC: twitter.com

કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા Citizenship Amendment Act (CAA)ને લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. આને લગતા કાયદા અને નિયમો 26 જાન્યુઆરી 2024 પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે.

CAA હેઠળ કોને નાગરિકતા મળશે? એના વિશે તમને જણાવીએ કે  સરકારે કહ્યું છે કે, જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારતમાં શરણાર્થી તરીકે આશરો મેળવી રહ્યા છે તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા મળશે. આમા મુસ્લિમ ધર્મના લોકોનો સમાવેશ નથી.

2019માં લોકસભામાં CAAનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ મંજૂરીના મહોર મારી દીધી હતી. પરંતુ તે વખતે ભારે વિરોધ થયો હતો અને દિલ્હીના શાહિન બાગ પર લગભગ 1 વષ સુધી આંદોલન ચાલ્યું હતું જેના ઇન્ટરનેશનલ લેવલે પડઘા પડ્યા હતા. એટલે તેનો આમલ થઇ શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp