શું પોલીસ અપરિણીત કપલની હોટલમાંથી ધરપકડ કરી શકે છે? જાણો કાયદો શું કહે છે

ઘણી વખત હોટલોમાં દરોડા પડવાના સમાચાર આવતા હોય છે. પોલીસે અપરિણીત યુગલને પકડી પાડ્યા હોવાનું જાણવા મળે છે. પ્રશ્ન એ થાય છે કે શું અપરિણીત યુગલ માટે હોટલમાં રોકાવું ગેરકાયદેસર છે? શું અપરિણીત યુગલ માટે હોટલના રૂમમાં સેક્સ કરવું ગેરકાયદેસર છે? શું આવી સ્થિતિમાં પોલીસ દંપતીની ધરપકડ કરી શકશે? શું દંડ વસૂલી શકાય? અહીં આપણે આ પ્રશ્નોના જવાબો જાણીશું.

અપરિણીત યુગલો માટે ભારતમાં હોટલમાં રહેવું ગેરકાયદેસર નથી. દેશમાં એવો કોઈ કાયદો નથી, જે અપરિણીત યુગલોને હોટલમાં રહેવા માટે રોકાતો હોય. અપરિણીત યુગલો જેમ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે, તેવી જ રીતે હોટેલમાં પણ રહી શકે છે. યુગલો રૂમની અંદર સંમતિથી શું કરે છે, તે તેમની અંગત બાબત છે. કાયદો આમાં દખલ કરતો નથી. હા, એ ચોક્કસ છે કે કેટલીક હોટલ અપરિણીત યુગલોને રૂમ આપે છે અને કેટલીક હોટલો નથી આપતી. આ હોટલ માલિકોના અંગત અભિપ્રાયની બાબત છે. વ્યક્તિ જેની સાથે રહે છે, તે પસંદગીના અધિકાર હેઠળ આવે છે અને જ્યાં તે રહે છે, તે રાઈટ ટૂ મુવમેન્ટના અધિકાર હેઠળ આવે છે. તે રાઈટ ટૂ લાઈફ અને સ્વતંત્રતાના અધિકારનો પણ એક ભાગ છે.

કોઈમ્બતુર જિલ્લા વહીવટીતંત્રે એક એપાર્ટમેન્ટને એટલા માટે સીલ કરી દીધું, કારણ કે તેમાં એક અપરિણીત યુગલ રહેતું હતું. ડિસેમ્બર 2019માં, મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશે કોઈમ્બતુર જિલ્લા વહીવટીતંત્રને ઠપકો આપતા પૂછ્યું, 'જ્યારે બે પુખ્ત વયના લોકો વચ્ચે લિવ-ઈન સંબંધને ગુનો માનવામાં આવતો નથી, તો અપરિણીત યુગલનું હોટલના રૂમમાં રહેવું ગુનો કર્યો છે તે કેવી રીતે માની શકાય?'

હોટલમાં રોકાતા દંપતીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. આ સાથે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જેવા માન્ય સરકારી ઓળખનો પુરાવો હોવો જરૂરી છે. જો પોલીસ દ્વારા પકડવામાં આવે તો, દંપતીએ કહેવું પડશે કે, બંનેએ સંમતિથી રૂમ બુક કર્યો છે. અમે માન્ય ઓળખનો પુરાવો આપ્યો છે અને હોટેલે અમને મંજૂરી આપી છે. આ પછી પોલીસ ન તો ધરપકડ કરી શકે છે કે ન તો દંડ કરી શકે છે.

2011માં, ગાઝિયાબાદ પોલીસે જાહેર સ્થળોએ યુવાન છોકરાઓ અને છોકરીઓને પકડવા માટે 'ઓપરેશન મજનુ' શરૂ કર્યું. પોલીસ અધિકારીઓએ તેમને ઉઠક-બેઠક કરવા માટે મજબૂર કર્યા અને 'સજા'નો વીડિયો બનાવ્યો. આ ઓપરેશન દેખીતી રીતે મહિલાઓને ઉત્પીડનથી સુરક્ષિત રાખવા માટે હતું. પરંતુ તે કપલ પણ તેની પકડમાં આવી ગયા, જેઓ સહમતિથી એકબીજા સાથે સમય વિતાવી રહ્યા હતા.

તો સવાલ એ થાય છે કે શું પુખ્ત વયના લોકો માટે જાહેર સ્થળે બેસવું ગેરકાયદેસર છે? શું આવી સ્થિતિમાં પોલીસ પકડી શકશે?

દેશના દરેક નાગરિકને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની સમજણના અભાવને કારણે યુવાનોને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બંધારણ કે કોઈપણ કાયદો જાહેર સ્થળે બે લોકોના બેસવા પર પ્રતિબંધ નથી. તેનાથી વિપરીત, કાયદો લોકોને રક્ષણ આપે છે. કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આ કલમને બંધારણનો આત્મા માનવામાં આવે છે.

જો કે, ભારતીય દંડ સંહિતાની કલમ 294 હેઠળ અશ્લીલતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાયદો કોઈ પણ વ્યક્તિ જે જાહેર સ્થળે 'અશ્લીલ કૃત્ય' કરે છે તેને ત્રણ મહિના સુધીની જેલની સજા આપે છે. પરંતુ 'અશ્લીલ કૃત્યો'ની વ્યાખ્યાનો અભાવ પ્રેમી યુગલોની હેરાનગતિનું કારણ બની જાય છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.