આ લોકોને મહેનત ઓછી કરવા સલાહ આપતા સ્વાસ્થ્ય મંત્રી, હાર્ટ એટેકના મામલે વાત કરી
શું ભારતમાં ઝડપથી વધી રહેલા હાર્ટ એટેકના કેસ કોરોના રોગચાળા સાથે સંબંધિત છે? આ પ્રશ્ન આજે પણ દરેકના મનમાં ઉઠી રહ્યો છે. હા, હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટ એટેકનું સાચું કારણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવ્યું છે.
#WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV
— ANI (@ANI) October 30, 2023
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ઉલ્લેખીને કહ્યું કે, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 રોગથી પીડાતા હતા, તેઓને એક કે બે વર્ષ સુધી હાર્ટ એટેકથી સુરક્ષિત રહેવા માટે વધુ પડતી મહેનત કરવાનું ટાળવું જોઈએ.
ગુજરાતમાં તાજેતરમાં નવરાત્રિના તહેવાર દરમિયાન હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે અનેક મૃત્યુ જોવા મળ્યા છે, જેમાં નવરાત્રી ઉત્સવમાં 'ગરબા'ના કાર્યક્રમો પણ સામેલ છે. જેના કારણે રાજ્યના આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે કાર્ડિયોલોજિસ્ટ્સ સહિતના તબીબી નિષ્ણાતો સાથે બેઠકનું આયોજન કરવું પડ્યું હતું.
પટેલે નિષ્ણાતોને હાર્ટ એટેકના કારણો અને તેનાથી બચવાના ઉપાયો શોધવા માટે મૃત્યુનો ડેટા એકત્રિત કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'ICMRએ વિગતવાર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ, જે લોકો ગંભીર કોવિડ-19 ચેપથી પીડિત રહ્યા હતા તેઓએ વધારે મહેનતવાળા કામ ન કરવા જોઈએ. તેઓએ ટૂંકા ગાળા માટે આરામ કરવો જોઈએ, જેમ કે જરૂરતથી વધારે વ્યાયામ, દોડવું અને ભારે કસરતથી દૂર રહેવું જોઈએ, એક વર્ષ કે તેથી વધુ સમય સુધી તેમને ટાળવું જોઈએ, જેથી કરીને હૃદયરોગનો હુમલો ટાળી શકાય.'
તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ CM આનંદીબેન પટેલે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલાઓમાં ખેડા જિલ્લાના ધોરણ 12ના વિદ્યાર્થી વીર શાહ, અમદાવાદના 28 વર્ષીય રવિ પંચાલ અને વડોદરાના 55 વર્ષીય શંકર રાણાનો સમાવેશ થાય છે.
સંજોગવશાત, નવરાત્રિના તહેવારો શરૂ થાય તે પહેલાં, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે, એક સૂચના દ્વારા, ગરબા ઇવેન્ટના આયોજકો માટે એમ્બ્યુલન્સ અને એક તબીબી ટીમને સ્થળ પર હાજર રાખવાનું ફરજિયાત બનાવ્યું હતું, જેથી કરીને કાર્યક્રમમાં ભાગ લેનારાઓને તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp