નોટબંધીને લઇને ઉઠેલા સવાલો પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મોદી સરકારને ક્લિન ચીટ

કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2016માં જૂની 500 અને 1000ની ચલણી નોટો અચાનક રાતોરાત બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જો કે,  લોકોને જૂની નોટો બદલવા માટે સમય આપવામાં આવ્યો હતો. નોટો બદલાવવા માટે લોકો સવારથી લઇને સાંજ સુધી કલાકો લાઇનમાં ઊભા રહેતા નજરે પડ્યા હતા. હવે કેન્દ્રની મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીને લઇને ઉઠેલા સવાલો પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં 1000 રૂપિયા અને 500 રૂપિયાની જૂની નોટોને અમાન્ય કરવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ નોટબંધી વિરુદ્ધ દાખલ થયેલી 58 અરજીઓ ફગાવી દીધી છે. નોટબંધી વિરુદ્ધ 3 ડઝનથી વધુ અરજીઓની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયામાં કશું જ ખોટું જોવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે વિમુદ્રિકરણ લાવવાની કોઇ સ્વતંત્ર શક્તિ નથી અને કેન્દ્ર તેમજ રિઝર્વ બેંક વચ્ચે પરામર્શ બાદ જ નિર્ણય લેવામાં આવ્યો.

ન્યાયાધીશ એસ.એ. નજીરની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે આ કેસ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ન્યાયાધિશ બી.આર ગવઇ, બી.વી. નાગરત્ન દ્વારા સંભળાવવામાં આવ્યો. નિર્ણય સર્વસંમતિથી થયો છે. પીઠમાં ગવઇ અને નાગરત્ન સિવાય જસ્ટિસ એસ. એ. નજીર, એ.એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યન પણ હતા.

નોટબંધીને ખોટી અને ત્રુટીપુર્ણ બતાવતા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમે તર્ક આપ્યો હતો કે, સરકાર કાયદાની નિવિદા સાથે સંબંધિત કોઇ પણ પ્રસ્તાવને પોતાના દમ પર શરૂ નહીં કરી શકાય, જે માત્ર રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની ભલામણ કરી કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે નોટબંધીના વિરોધમાં કોર્ટ 58 અરજીઓ પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ સરકાર અને અરજીકર્તાઓની દલીલ સાંભળ્યા બાદ પોતાની નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ અગાઉ કોર્ટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ સરકારના વર્ષ 2016ના નિર્ણય સંબંધિત રેકોર્ડ આપે.

આ કેસમાં એટર્ની જનરલ આર. વેંકટમણી, રિઝર્વ બેંકના વકીલ અને અરજીકર્તાઓના વકીલો, વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ અને શ્યામ દીવાનની દલીલો સાંભળવામાં આવી હતી. એક એફિડેવિટમાં કેન્દ્રએ હાલમાં જ સુપ્રીમ કોર્ટને બતાવ્યું હતું કે, નોટબંધીની કવાયત એક સુવિચારિત નિર્ણય હતો અને નકલી ધન, આતંકવાદના નાણાકીય પોષણ, કાળા ધન અને કર ચોરીના જોખમને પહોંચીવળવા માટે એક મોટી રણનીતિનો હિસ્સો હતો.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.