BJPનો ડર કે પોતાના MLA પર ભરોસો નથી? 39 MLA હૈદરાબાદ રવાના, ફ્લોર ટેસ્ટ...

હેમંત સોરેનના રાજીનામા પછી ચંપાઈ સોરેને બે નવા મંત્રીઓ સાથે શુક્રવારે રાજભવન ખાતે CM તરીકે શપથ લીધા હતા. રાંચીના સર્કિટ હાઉસમાં હાજર સત્તાધારી પક્ષના ધારાસભ્યો હૈદરાબાદ જવા રવાના થઈ ગયા છે. ફ્લોર ટેસ્ટના દિવસે તમામ ધારાસભ્યો પરત ફરશે. ધારાસભ્યોની વિદાયને લઈને એરપોર્ટ પર હંગામોની સ્થિતિ સર્જાઈ હતી. વધારાના સૈનિકોની ટુકડી એરપોર્ટ પર પહોંચી હતી.
શપથ લીધા પછી CM ચંપાઈ સોરેને કહ્યું કે, હેમંત સોરેને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું. તેમના દ્વારા શરૂ કરાયેલા કામને હું વેગ આપીશ. કોંગ્રેસના નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે, તમે ગૃહના ફ્લોર પર અમારી તાકાત જોશો. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે, ધારાસભ્યો ક્યાં જાય છે? તો JMMના ધારાસભ્ય હફિઝુલ હસને કહ્યું કે, તેઓ બિરયાની ખાવા હૈદરાબાદ જઈ રહ્યા છે. JMMના નેતાએ કહ્યું કે 39 ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા છે.
BJP નેતા બિરાંચી નારાયણે કહ્યું, 'અહીં શપથ ગ્રહણ સમારોહ થઈ રહ્યો છે અને બીજી તરફ ધારાસભ્યો રાંચીથી ભાગી રહ્યા છે. આ લોકોને ગઠબંધન પર વિશ્વાસ નથી. JMM, કોંગ્રેસના ધારાસભ્યો તેમના પર વિશ્વાસ કરતા નથી. રાજ્યપાલે બહુમતી સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.' મહાગઠબંધનના કુલ 39 ધારાસભ્યો એરપોર્ટ પરથી રવાના થયા.
#WATCH | Jharkhand JMM & Congress MLAs onboard an aircraft to Hyderabad from Ranchi
— ANI (@ANI) February 2, 2024
(Video from an MLA onboard the aircraft) pic.twitter.com/KgiCJYGdIt
ઝારખંડની વિશેષ PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને પાંચ દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. પ્લોટના 'ગેરકાયદેસર' કબજા અને 'લેન્ડ માફિયા' સાથે કથિત જોડાણો સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાત કલાક સુધી પૂછપરછ કર્યા પછી બુધવારે રાત્રે સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. વિશેષ PMLA કોર્ટે ગુરુવારે JMM નેતાને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.
શાસક ગઠબંધનના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ધારાસભ્યોને સ્થાનાંતરિત કરવાનો નિર્ણય તે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો કે, વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) તેમને 'પ્રલોભન આપવાનો પ્રયાસ' કરી શકે છે. વરિષ્ઠ નેતાએ કહ્યું, 'અમને બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમે આ સમયગાળા દરમિયાન કોઈ જોખમ લઈ શકીએ નહીં કારણ કે BJP અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે.' ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતૃત્વ હેઠળના ગઠબંધનના મુખ્ય ઘટક કોંગ્રેસના ધારાસભ્ય બન્ના ગુપ્તાએ કહ્યું, 'ગઠબંધનના 38 ધારાસભ્યોએ હૈદરાબાદ માટે ઉડાન ભરી છે. બીજા અન્ય લોકો ત્યાં જ રોકાયા છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp