5000 ખેડૂત, 203 કિમી પગપાળા માર્ચ, જાણો રોડ પર કેમ ઉતર્યા આ અન્નદાતાઓ

મહારાષ્ટ્રમાં ફરી એક વખત ખેડૂતોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. હજારોની સંખ્યામાં ખેડૂત મુંબઈ કૂચ કરવા માટે પગપાળા માર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન સરકારે ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા સાંભળવા માટે મંત્રી દાદા ભૂસે અને અતુલ સાવેને જવાબદારી સોંપી છે. બંને મંત્રી જઈને ખેડૂતોને મળશે અને તેમની સમસ્યાઓને લઈને ચર્ચા કરશે. લગભગ 5 હજાર ખેડૂતોએ મંગળવારે ઉત્તરી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી તમામ માગોને લઈને પગપાળા માર્ચ શરૂ કરી છે. તેમાં મોટા ભાગના ખેડૂત આદિવાસી બેલ્ટથી છે, જે જંગલ અને જમીનના અધિકાર અને અન્ય ખેડૂત સંબંધિત મુદ્દાઓ પર રાહતની માગ કરી રહ્યા છે.

આ માગોમાં ડુંગળીના ઉત્પાદકોને 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તાત્કાલિક રાહત, 12 કલાક માટે કાપ વિનાનો વીજળી પુરવઠો અને કૃષિ લોન માફ કરવી વગેરે સામેલ છે. આ માર્ચ નાસિક જિલ્લાના ડિંડોરીથી શરૂ થઈ છે અને મુંબઈ સુધી લગભગ 203 કિલોમીટરનું અંતર નક્કી કરશે, ખેડૂતોની માર્ચ શુક્રવારે રાત સુધી મુંબઈ પહોંચશે. આ પહેલી વખત નથી, જ્યારે ખેડૂત પોતાની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે મુંબઈ તરફ પગપાળા માર્ચ કરી કરી રહ્યા છે.

5 વર્ષ અગાઉ પણ તેમણે એવી જ માર્ચ કાઢી હતી. ત્યારે સરકારે કહ્યું હતું કે, તેમની માગણીઓ પૂરી કરવામાં આવશે, પરંતુ સરકારે અત્યાર સુધી કેટલીક જ માગો માની છે. હવે તેને લઈને ફરી ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે સોમવારે એ ડુંગળીના ખેડૂતોને 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું વળતર આપવાની જાહેરાત કરી, જે ડુંગળીની કિંમતોમાં ભારે ઘટાડાથી માઠી રીતે પ્રભાવિત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં તેની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તેનાથી ખેડૂત ઉત્પાદકોને રાહત મળશે. જો કે, ખેડૂત આ જાહેરથી ખુશ નજરે પડી રહ્યા નથી.

DCP કિરણ કુમાર ચૌહાણે કહ્યું કે, વિરોધના પ્રમાણને જોતા અમે ઇમરજન્સી સ્થિતિમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે જરૂરી પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. જેમ કે પગપાળા માર્ચ નાસિકથી મુંબઈ સુધી. અમે 2 લાઈનોમાં અવરજવર નિયંત્રિત કરવા અને રોડ પર કોઈ પણ અસુવિધા ન થાય તે માટે બળોને તૈનાત કર્યા છે. ગત દિવસોમાં રાજધાની દિલ્હીમાં ભારે સંખ્યામાં પંજાબથી પહોંચેલા ખેડૂતોએ કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો.

પંજાબથી ગયેલા ખેડૂત સંગઠને પોતાની માગોને લઈને 13 માર્ચના રોજ દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનમાં 5 ખેડૂત સંગઠન સામેલ રહ્યા હતા. ખેડૂતોએ MSP, પંજાબમાં પાણીની અસત, લખીમપુર કાંડમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પર કાર્યવાહી, પર્યાવરણ પ્રદૂષણ અને લંબિત માગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. 20 માર્ચના રોજ રાકેશ ટિકૈતે પણ ખેડૂત મહાપંચાયત બોલાવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.