પૂર-વરસાદ પણ કંઈ બગાડી શકશે નહીં, નીતિન ગડકરીએ જણાવી 'ભવિષ્યના રસ્તા'ની યોજના!

PC: indianexpress.com

દેશમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની ખરાબ હાલત કોઈનાથી છુપી નથી. રસ્તાઓ પરના ખાડા અને રોડ ધોવાઈ જવાના અહેવાલો સામાન્ય છે. મહાનગર હોય કે નાનું શહેર. પરંતુ સરકાર હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. સરકાર હવે કોંક્રીટમાંથી બનેલા રસ્તાઓ બનાવવાનું વિચારી રહી છે. આ પ્રકારના રસ્તાઓ ભારે વરસાદ અને પૂરનો સામનો કરવામાં સક્ષમ હોય છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેમનું મંત્રાલય એક નિષ્ણાત સમિતિની રચના કરશે. આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કેટલાક વિભાગો કોંક્રીટથી રસ્તાઓ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેથી કરીને આ યોજનાનું પરીક્ષણ કરી શકાય.

ગડકરીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, આપણે એવા સ્થળોએ કોંક્રીટના રસ્તાઓનું પરીક્ષણ કરવાની જરૂર છે જ્યાં કુદરતી આફતો આવવાની શક્યતા વધુ હોય. આપણે આંતરરાષ્ટ્રીય ધોરણના રસ્તાઓ, પુલ અને ટનલ બનાવવાની જરૂર છે. જે ભારે વરસાદ અને ભૂસ્ખલનનો સામનો કરવામાં સક્ષમ હોય.

ગડકરીએ આગળ કહ્યું કે, કોંક્રીટમાંથી બનેલા રોડનો ખર્ચ પોસાય તેવો રાખવો પડશે, કારણ કે તેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે અને તેની કિંમત વધી શકે છે. આવી સ્થિતિમાં અમારે તેના પર રિસર્ચ કરવું પડશે અને પછી ટ્રેનિંગ કરવી પડશે. આ ઉપરાંત, આપણી પાસે એવી સંસ્થા હોવી જોઈએ જે આ હેતુ પર પાડવા માટે સેવા આપે. મંત્રાલય એ પણ જોશે કે કોંક્રીટ રોડ માટે આંતરરાષ્ટ્રીય ધોરણ શું છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે, જુલાઈની શરૂઆતથી, ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં પૂરને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ નાશ પામ્યા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. એટલું જ નહીં, મેદાની વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થતું હોય છે.

ચોમાસાની સિઝન હજી પૂરી નથી થઈ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે વરસાદે દેશમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે. હિમાચલ અને ઉત્તરાખંડ સૌથી વધુ અસરગ્રસ્ત છે, સંદેશાવ્યવહાર નેટવર્કમાં વિક્ષેપ આવે છે અને બચાવ કાર્યમાં અવરોધ આવે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ચમોલી જિલ્લામાં ભૂસ્ખલન થયા પછી ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો હતો. યમુનોત્રી હાઇવે પર કાટમાળના કારણે યમુનોત્રી તીર્થયાત્રા પણ રોકી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp