દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, પ્રદેશ અધ્યક્ષે આ કારણે આપી દીધું રાજીનામું
દિલ્હીમાં કોંગ્રેસને બીજો મોટો ઝટકો લાગ્યો છે. 15 વર્ષ સુધી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણ પછી હવે પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપી દીધું છે. લવલીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. આ સિવાય લવલીના રાજીનામાનું એક કારણ દિલ્હીથી બહારના ઉમેદવારને ટિકિટ આપવાનું પણ છે. કોંગ્રેસે દિલ્હીમાં બહારના ઉમેદવાર કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. કન્હૈયાની ટિકિટને લઈને પાર્ટીમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. હાલમાં જ પાર્ટીની એક બેઠકમાં કન્હૈયા કુમાર અને પૂર્વ CM શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લવલી અને ચૌહાણના રાજીનામામાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયા સાથેના મતભેદો પણ સામે આવ્યા છે.
હકીકતમાં, કોંગ્રેસે દિલ્હીની ત્રણમાંથી બે બેઠકો પર બહારના નેતાઓ કન્હૈયા કુમાર અને ઉદિત રાજને ટિકિટ આપી છે. ઉમેદવારોની જાહેરાત પછી પાર્ટીમાં સતત ખળભળાટ જોવા મળી રહ્યો છે. લવલીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, 'જ્યારે દિલ્હી કોંગ્રેસે આગામી સામાન્ય ચૂંટણીઓ માટે 3 ઉમેદવારો રજૂ કરવા માટે ઔપચારિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, ત્યારે અમારી પાર્ટીના કેટલાક કાર્યકરોએ PCC ઓફિસમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર પૂર્વ દિલ્હીના ઉમેદવારો વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. મેં જાહેરમાં એમ કહીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો કે ડેમોક્રેટિક પાર્ટી સિસ્ટમમાં પક્ષના તમામ સભ્યોને તેમનો અસંમતિ વ્યક્ત કરવાનો અધિકાર છે. પરંતુ મારા સ્ટેન્ડનો દિલ્હી પ્રભારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મને રાજકુમાર ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર કુમારને સસ્પેન્ડ કરવા કહ્યું હતું. આ બેઠકમાં તેમની પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત સાથે ઘણી ઉગ્ર બોલાચાલી થઈ હતી.
લવલીએ કહ્યું કે, પરિસ્થિતિ પહેલા ખરાબ ન હતી, પરંતુ ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઉમેદવાર (કન્હૈયા કુમાર) દ્વારા અપમાનજનક અને પક્ષ વિરોધી નિવેદનો કરવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. પક્ષના ઉમેદવારે અમારા જ પક્ષના કાર્યકરોનું અપમાન કર્યું છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સથી મને ઘણા લેખિત સંદેશા મોકલ્યા છે, જેમાં મને પાર્ટીના વિવિધ સ્થાનિક નેતાઓને સસ્પેન્ડ કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓ દિલ્હીના CMના ખોટા વખાણ કરતા મીડિયા બાઇટ્સ પણ આપી રહ્યા છે. તથ્યોની અવગણના કરીને, દિલ્હીના લોકોની વેદનાથી વિપરીત, તેમણે શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ અને પાવર ક્ષેત્રોમાં તેમના દ્વારા કરવામાં આવેલા કથિત કાર્યો અંગે AAPના ખોટા પ્રચારને સમર્થન આપ્યું.
अरविंदर सिंह लवली ने दिल्ली कांग्रेस अध्यक्ष पद से इस्तीफा दिया।
— NBT Hindi News (@NavbharatTimes) April 28, 2024
अरविंदर सिंह लवली ने लिखा, "दिल्ली कांग्रेस इकाई उस पार्टी के साथ गठबंधन के खिलाफ थी, जो कांग्रेस पार्टी के खिलाफ झूठे, मनगढ़ंत और दुर्भावनापूर्ण भ्रष्टाचार के आरोप लगाने के एकमात्र आधार पर बनी थी। इसके बावजूद,… pic.twitter.com/QTU5Ye2um2
બહારના નેતાઓની ટિકિટ સિવાય અમરિંદર સિંહ લવલીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, 'દિલ્હી કોંગ્રેસ એકમ એ પાર્ટી સાથે ગઠબંધનની વિરુદ્ધ હતી જે કોંગ્રેસ પાર્ટી પર ખોટા, બનાવટી અને દૂષિત ભ્રષ્ટાચારના આરોપો લગાવવાના એકમાત્ર આધાર પર રચવામાં આવી હતી. આ હોવા છતાં, પાર્ટીએ દિલ્હીમાં AAP સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું...' લવલીએ એમ પણ કહ્યું કે તેઓ ધરપકડ સમયે CM કેજરીવાલના નિવાસસ્થાને પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશ પર જ ગયા હતા, જ્યારે આ બાબતે તેમનો અભિપ્રાય સામે હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp