26th January selfie contest

DyCM સિસોદિયા સામે કેસ ચલાવવાની CBIને ગૃહ મંત્રાલયે મંજૂરી આપી

PC: ndtv.in

ગૃહ મંત્રાલયે 'ફીડબેક યુનિટ' કથિત જાસૂસી કેસમાં દિલ્હીના DyCM મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયે DyCM મનીષ સિસોદિયા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. DyCM મનીષ સિસોદિયા પર 'ફીડબેક યુનિટ' દ્વારા 'રાજકીય જાસૂસી' કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

CBIએ દિલ્હી સરકારના 'ફીડબેક યુનિટ' પર જાસૂસીનો આરોપ લગાવતા DyCM મનીષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ સામે કેસ નોંધવાની પરવાનગી માંગી હતી.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર V.K. સક્સેનાએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કાર્યવાહી માટે મંજૂરીની વિનંતીને મંજૂરી આપી હતી, ત્યારબાદ તેને ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવી હતી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે 2015માં ફીડ બેક યુનિટ (FBU)ની રચના કરી હતી. આ યુનિટે ફેબ્રુઆરી 2016થી કામ કરવાનું શરૂ કર્યું હતું. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તકેદારી વિભાગને મજબૂત બનાવવા અને સરકારી વિભાગો અને સંસ્થાઓના કામકાજથી સંબંધિત ફીડબેક લેવાના નામે બનાવવામાં આવેલા આ યુનિટ દ્વારા 'રાજકીય જાસૂસી' કરવામાં આવી રહી હતી. દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટના એક અધિકારીએ આ અંગે CBIને ફરિયાદ કરી હતી.

એવો આરોપ છે કે, ફીડબેક યુનિટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન રાજકીય વિરોધીઓની જાસૂસી કરી હતી. યુનિટે માત્ર BJP પર જ નહીં પરંતુ AAP પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પર પણ નજર રાખવામાં આવી હતી.

ગયા અઠવાડિયે CBIના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો કે, FBU રાજકીય જાસૂસીમાં સામેલ છે, કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે, તમે દિલ્હી સરકારના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (GNCTD)ના અધિકારક્ષેત્ર હેઠળના વિવિધ વિભાગો અને સ્વાયત્ત સંસ્થાઓ અને સંસ્થાઓની કામગીરી પર નજર રાખી છે. સંબંધિત માહિતી અને પ્રતિસાદ એકત્રિત કરવા માટે FBUs સેટ કરવાની દરખાસ્ત મૂકી છે, ગુપ્ત સેવાના ખર્ચ માટે રૂ. 1 કરોડની જોગવાઈ સાથે આ યુનિટે 2016માં કામ કરવાનું શરૂ કર્યું હતું.

તકેદારી વિભાગ હેઠળ રચાયેલ આ ફીડબેક યુનિટે તકેદારી વિભાગના સચિવને જાણ કરવાની હતી, પરંતુ FBUએ ક્યારેય સચિવને જાણ કરી નથી. CBIની પ્રાથમિક તપાસમાં એવો પણ ગંભીર આરોપ છે કે, તકેદારી વિભાગ દ્વારા બનાવવામાં આવેલ આ ફીડબેક યુનિટનું કામ દિલ્હી સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો સાથે સંબંધિત માહિતી અને સૂચનો એકત્રિત કરવાનું હતું. પરંતુ ફીડબેક યુનિટે આમ આદમી પાર્ટી (AAP) માટે મંત્રાલયો અને વિભાગો પાસેથી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે કામ કર્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ 12 જાન્યુઆરી, 2023ના રોજ તકેદારી વિભાગને એક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં DyCM મનીષ સિસોદિયા સહિત 6 લોકો સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને વિવિધ કલમો હેઠળ કેસ નોંધવા માટે ઉપરાજ્યપાલની મંજૂરી માંગી હતી. I.P.C. લેફ્ટનન્ટ ગવર્નરે 7 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને DyCM મનીષ સિસોદિયા અને અન્યો સામે કેસ નોંધવાની CBIની વિનંતી મોકલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp