હવે શશિ થરૂરે જણાવ્યું GDPનો અર્થ, લોકસભા ચૂંટણી પર બોલ્યા- પિક્ચર અભિ બાકી હૈ

PC: businesstoday.in

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું. તો આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ભાજપ એમ માનીને ચાલી રહી છે કે, તે ફરી એક વખત તે કેન્દ્રની સત્તામાં આવશે. જો કે, સાંસદ શશિ થરૂરે ભાજપના આ દાવાને નકારી દીધો છે. શશિ થરૂરનું કહેવું છેઃ કે પિક્ચર અભિ બાકી હૈ અને વચગાળાનું બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ લાગે છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે GDPને ગવર્નેન્સ, ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ' બતાવવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણની નિંદા પણ કરી.

શશિ થરૂરે કહ્યું કે, આ વ્યવસ્થા હેઠળ Gનો અર્થ ગવર્મેન્ટલ ઈંટ્રુજન એન્ડ ટેક્સ ટેરે રિઝ્મ' (સરકારી ઘૂસણખોરી અને કર આતંવકવાદ), Dનો અર્થ ડેમોગ્રાફિક બ્રિટ્રેયલ (જનસંખ્યાકીય વિશ્વાસઘાત) અને Pનો અર્થ 'પોવર્ટી એન્ડ રાઈઝિંગ ઈનિક્વાલિટી (ગરીબી અને વધતી અસમાનતા) છે. શશિ થરૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વચગાળાનું કેન્દ્રીય બજેટને નિરાશાજનક કરાર આપતા કહ્યું કે, બેરોજગારીની વાત નાણા મંત્રીના ભાષણથી પૂરી રીતે ગાયબ હતી.

કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે, સામાન્ય વ્યક્તિના જીવનમાં સુધારના મામલે સરકારને F ગ્રેડ (અનુતીર્ણ) મળે છે. થરૂરે કહ્યું કે, મુદ્રાસ્ફિતિ વિશેષ રૂપે ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારાઓ એટલો ચોંકાવનારો છે કે નીચેની 20 ટકા વસ્તી બજારમાં તેમને ખરીદવામાં અસમર્થ છે જ્યારે તેઓ એક કે બે વર્ષ અગાઉ ખરીદી શકતા હતા. આ સામાન્ય ભારતીયના જીવનની વાસ્તવિકતા છે. આ જ કારણ છે કે સરકાર ઈચ્છે છે કે લોકો રામ મંદિર માટે ગર્વ કરતા વોટ કરે કે બાલાકોટ, પુલવામાની ઘટનાને લઈને પાકિસ્તાન પર કથિત પ્રહાર માટે ગર્વના આધાર પર વોટ આપે. પૂર્વ કેન્દ્રીય મંત્રીનું કહેવું હતું કે ભાજપને 2019માં આ પ્રકારે સફળતા મળી હતી. આ વખત રામ મંદિર મુદ્દો બનવા જઇ રહ્યું છે અને તેમ કોઈ શંકા નથી કે અબુ ધાબી મંદિરને જોડવામાં આવશે. સ્પષ્ટ રૂપે સરકારો એવું કરવા માટે ચૂંટવામાં આવતી નથી.

સરકારો સામાન્ય લોકોના જીવનમાં સુધાર માટે ચૂંટવામાં આવે છે. શું આ સરકારે એવું કર્યું? હું કહીશ કે એ વિશેષ માપદંડ પર સરકાર પૂરી રીતે નિષ્ફળ છે. નિર્મલા સીતારમણનું કહેવું છે કે જુલાઈમાં સરકાર વિકસિત ભારતના લક્ષ્ય માટે એક વિસ્તૃત રોડમેપ રજૂ કરશે અને ભાજપનો દાવો છે કે 2024ની ચૂંટણીના પરિણામ અગાઉથી નક્કી છે. પિક્ચર અભિ બાકી હૈ. તિરુવનંતપુરમથી લોકસભાના સભ્યએ કહ્યું કે, મતદાન અગાઉ મતોની ગણતરી નહીં કરી શકાય. તેમણે એ વાત પર ભાર આપ્યો કે વિપક્ષ પાસે અત્યારે પણ સમય છે કે તે મળીને કામ કરે અને લોકો સમક્ષ આર્થિક વાસ્તવિકતાઓને જોય. થરૂરનું કહેવું હતું કે આ વચગાળાનું બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp