ડૉક્ટરને મારી મારીને ઉતારી દીધો મોતને ઘાટ, BJP નેતાના ભત્રીજા પર લાગ્યો આરોપ
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં એક સરકારી ડૉક્ટરની મારી મારીને હત્યા કરી દેવામાં આવી. આરોપીનું નામ અજય નારાયણ સિંહ છે, જે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ ગિરિશ નારાયણ સિંહ ઉર્ફ બબ્બન સિંહનો ભત્રીજો છે. ઘટના જમીન વિવાદ અને પૈસાઓની લેવડ-દેવડ સાથે જોડાયેલી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે, પરંતુ કોઈ કેસ નોંધવવામાં આવ્યો નથી. મૃતકની ઓળખ ડૉ. ઘનશ્યામ તિવારીના રૂપમાં થઈ છે. તે લંભૂઆ વિસ્તારના શાસ્ત્રી નગર મોહલ્લામાં પત્ની સાથે રહેતો હતો.
જયસિંહપુરના જાસપારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં સંવિદાકર્મી તરીકે ફરજ બજાવતા હતા. 23 સપ્ટેમ્બરની સાંજે ડૉ. ઘનશ્યામ ઘરથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો. મૃતકની પત્ની નિશા તિવારીએ જણાવ્યું કે, મોડી સાંજે એક ઓટોવાળો તેના ઘર બહાર આવ્યો અને ઇજાગ્રસ્ત હાલતમાં ડૉ. ઘનશ્યામને ઘર બહાર છોડીને ભાગી ગયો. હુમલાવરોએ ડૉક્ટરનો હાથ તોડી નાખ્યો. તેમને તાત્કાલિક રાજકીય મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.
यूपी में जंगलराज व्याप्त! भाजपा नेता के भतीजे ने डाक्टर को पीट पीटकर मार डाला!
— Samajwadi Party (@samajwadiparty) September 24, 2023
सुल्तानपुर में भाजपा नेता के भतीजे के द्वारा डॉक्टर घनश्याम तिवारी की पीट-पीट कर निर्मम हत्या, अत्यंत दुखद!
मुख्यमंत्री जी आरोपी की संपत्तियों पर कब चलेगा आपका बुलडोजर?
पीड़ित परिवार को कब मिलेगा… pic.twitter.com/T3b6sjU9VO
શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. મૃતકની પત્નીનો આરોપ છે કે જમીન વિવાદના કારણે અજય નારાયણ સિંહે ડૉક્ટરને ઢોર માર માર્યો. જણાવ્યું કે, તેમને સરસ્વતી વિદ્યા વિહાર મંદિર પાછળ જમીન ખરીદી હતી, જેણે લઈને મોટા ભાગે હોબાળો થઈ રહ્યો હતો. આ ઘટના પર સમાજવાદી પાર્ટી (SP)એ સવાલ ઉઠાવ્યો છે. પાર્ટીએ X (અગાઉ ટ્વીટર) પર ડૉક્ટરની પત્નીનો વીડિયો શેર કરતા લખ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાં જંગલરાજ વ્યાપ્ત!
सुल्तानपुर के एक CHC में तैनात डॉक्टर घनश्याम तिवारी को अपराधियों ने पीट-पीटकर मार डाला। फिर शव को रिक्शे पर लादकर मृतक के घर भेज दिया।
— UP Congress (@INCUttarPradesh) September 24, 2023
यह हत्या करने वाले हत्यारों में प्रमुख रूप से जो अजय नारायण सिंह शामिल है, वो जिले के शीर्ष भाजपा नेता का भतीजा और भाई बताया जा रहा है।
जाहिर… pic.twitter.com/rr7KXSVtXA
ભાજપ નેતાના ભત્રીજાએ ડૉક્ટરને મારી મારીને મોતને ઘાટ ઉતાવી દીધો. સુલ્તાનપુરમાં ભાજપ નેતાના ભત્રીજા દ્વારા ડૉક્ટર ઘનશ્યામ તિવારીની મારી મારીને નિર્દયી હત્યા, અત્યંત દુઃખદ! મુખ્યમંત્રીજી આરોપીની સંપત્તિ પર ક્યારે ચાલશે તમારો બુલડોઝર? પીડિત પરિવારને ક્યારે મળશે ન્યાય? કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, ગુનેગારને સત્તાનું સંરક્ષણ મળ્યું છે. UP કોંગ્રેસે લખ્યું કે, ‘સુલ્તાનપુરના એક CHCમાં તૈનાત ડૉક્ટર ઘનશ્યામ તિવારીને ગુનેગારોને મારી મારીને મારી નાખ્યા.
પછી શબને રિક્ષામાં ભરીને મૃતકના ઘરે મોકલી દીધું. આ હત્યા કરનારાઓમાં પ્રમુખ રૂપે જે અજય નારાયણ સિંહ સામેલ છે, તે જિલ્લાના ઉચ્ચ ભાજપ નેતાનો ભત્રીજો અને ભાઈ બતાવવામાં આવી રહ્યો છે. જાહેર છે! આ ગુનેગાર સત્તા સંરક્ષિત જ હશે. સત્તા સંરક્ષિત ગુનેગારોએ આ રાજ્યમાં બ્રહ્મણોથી લઈને દલિતો સુધીનું જીવવાનું હરામ કરી દીધું છે, પરંતુ પોલીસ તેમના ચરણચુંબન અતિરિક્ત કશું જ નહીં કરી શકે કેમ કે તેને માત્ર ગરીબો પર અત્યાચાર કરવાનો નિર્દેશ પ્રાપ્ત છે. આ ગુંડાઓ પર કાર્યવાહીનો નહીં.
આ ઘટનાની જાણકારી મળતા પૂર્વ ધારાસભ્ય દેવમણી દ્વિવેદી અને જિલ્લા અધ્યક્ષ ડૉ. RA વર્મા જિલ્લા હૉસ્પિટલ પહોંચ્યા. તેમણે આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની વાત કહી. કોતવાલ રામ આશિષ ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું કે, મૃતકના પરિવાર તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો SPએ જણાવ્યું કે, આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp