સિક્કિમના નાથુલામાં હિમસ્ખલન,6 ટૂરિસ્ટના મોત, 150 લોકો ફસાયા, રેસ્કયૂ શરૂ

Avalancheસિક્કિમમાં હિમસ્ખલનના કારણે ભારે તબાહીના સમાચાર સામે આવ્યા છે. નાથુલા બોર્ડર પાસે કુદરતનો આ કહેર તૂટી પડ્યો છે. સોમવારે નાથુલા પહાડી પાસે બનેલી આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મોતને ભેટનારામાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હિમસ્ખલન બાદ કેટલાય પ્રવાસીઓ બરફ નીચે ફસાયા હોવાની આશંકા છે, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ ઘટના ગંગટોકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરુ માર્ગ પર બપોરે લગભગ 12 વાગ્યેને 20 મિનિટની આસપાસ બની હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે, પરંતુ ટૂરિસ્ટ પરવાનગી વગર 15મા માઈલ તરફ ચાલ્યા ગયા હતા. આ ઘટના 15મી માઈલમાં જ બની હતી.

આ હિમપ્રપાત સિક્કિમના Tsomgo થયો છે જ્યાં હવે રેસ્કયૂ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં પોલીસ અને રાહત બચાવ ટુકડીઓ બરફની ચાદરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મંગળવારે આ મજબૂત બરફનું તોફાન અચાનક Tsomgo આવ્યું હતું, જેના કારણે ટુરિસ્ટ બસે અંકુશ ગુમાવી દીધો હતો અને બસ સીધી ખાડીમાં ખાબકી હતી.

પોલીસના કહેવા મુજબ, 150થી વધારે પ્રવાસીઓ હજુ પણ 15 મીલની આગળ ફસાયેલા છે. આ વચ્ચે 30 પર્યટકોને બચાવી પણ લેવાયા છે અને તેમને ગંગટોકની એસટીએનએમ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં આટલા મોટા પાયે હિમસ્ખલન જોવા મળ્યું હોય,આ પહેલા જાન્યુઆરી મહિનામાં જ લદ્દાખ વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. આ બરફવર્ષાએ બે યુવતીઓનો જીવ પણ લીધો હતો. ગયા વર્ષે પણ ઉત્તરકાશીમાં હિમ સ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી જેમાં 16 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

જોશીમઠ પહેલાથી જ ઉત્તરાખંડ માટે ખતરો બની ચુક્યો છે. આ પછી હિમસ્ખલનનું એલર્ટ અહીંના લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સક્રિયતા દાખવી રહી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.