CAA પર સરકારે મુસ્લિમ સમાજને આપ્યું આશ્વાસન, તમારા હક હિન્દુઓ બરાબર...

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને દેશમાં લાગૂ કર્યા બાદ, તેને લઈને મુસ્લિમ સમાજમાં ફેલાયેલી અનિશ્ચાતતાઓના સંબંધમાં મંગળવારે ગૃહ મંત્રાલય તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું કે, CAAથી કોઈ ભારતીયની નાગરિકતા જવાની નથી. ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે નાગરિકતા સંશોધન અધિનિયમ તેમની નાગરિકતાને પ્રભાવિત નહીં કરે. તેઓ હિન્દુ સમાજ બરાબર અધિકારોના હકદાર છે.

ગૃહ મંત્રાલયે CAAના સંબંધમાં મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગના ડરને દૂર કરવાનો પ્રયાસ કરતા એ સ્પષ્ટ કરી દીધુ કે, આ અધિનિયમ બાદ કોઈ પણ ભારતીય નાગરિકને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવાનું કહેવામાં નહીં આવે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતીય મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે, CAAમાં તેમની નાગરિકતાને પ્રભાવિત કરવા માટે કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી અને તેના વર્તમાન 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવું-દેવું નથી, જેમની પાસે હિન્દુ સમકક્ષો સમાન અધિકાર છે.

ગૃહ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, 'આ 3 મુસ્લિમ દેશોમાં લઘુમતીઓના અત્યાચારના કારણે દુનિયાભરમાં ઇસ્લામનું નામ ખૂબ ખરાબ થઈ ગયું છે. જો કે, ઇસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે, જે ક્યારેય પણ ધાર્મિક આધાર પર કોઈ અત્યાચાર, નફરત કે હિંસાનો પ્રચાર કે સૂચન આપતો નથી. તેમાં એમ કહેવામાં આવ્યું કે આ અધિનિયમ અત્યાચારના નામ પર ઇસ્લામને કલંકિત થવાથી બચાવે છે.

કાયદાની આવશ્યકતા બતાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના પ્રવાસીઓને આ દેશોમાં પરત મોકલવાની ભારતની કોઈ સમજૂતી નથી. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ નાગરિકતા અધિનિયમ ગેરકાયદેસર અપ્રવાસીઓના દેશ નિકાલ સાથે સંબંધિત નથી અને એટલે મુસ્લિમો અને વિદ્યાર્થીઓ સહિત લોકોના એક વર્ગની ચિંતા કે CAA મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ છે, એ અનુચિત છે.

નાગરિકતા અધિનિયમની કલમ 6 હેઠળ દુનિયામાં ક્યાંયથી પણ મુસ્લિમોને ભારતીય નાગરિકતા લેવા પર કોઈ રોક નથી, જે પ્રાકૃતિક રૂપે નાગરિકતા સાથે સંબંધિત છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતીય નાગરિક બનવાની ઈચ્છા રાખનાર કોઈ પણ વિદેશી મુસ્લિમ પ્રવાસી સહિત કોઈ પણ વ્યક્તિ હાલના કાયદા હેઠળ તેના માટે અરજી કરી શકે છે. આ અધિનિયમ એ 3 ઈસ્લામિક દેશોમાં ઇસ્લામના પોતાના સંસ્કરણનું પાલન કરવાના કારણે સતાવવામાં આવેલા કોઈ પણ મુસ્લિમને હાલના કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરતા રોકતો નથી.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.